માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ સરસ્વતી શિશુમંદિરમાં પૂર્વ છાત્ર સંમેલન-૨૦૨૨ માં યોજાયું


SHARE

















મોરબીમાં આવેલ સરસ્વતી શિશુમંદિરમાં પૂર્વ છાત્ર સંમેલન-૨૦૨૨ માં યોજાયું

મોરબીમાં આવેલ સરસ્વતી શિશુમંદિરમાંથી ભણીને ગયેલા વિદ્યાર્થીઓ એટલે કે પૂર્વ છાત્રનું સંમેલન યોજાયું હતું ત્યારે અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘ સંચાલકજી ડો. જયંતિભાઈ ભાડેસિયાએ કહ્યું કે પૂર્વ છાત્રએ વિદ્યાલયની મૂડી છે અને તમે આગળ જતાં આ વિદ્યાલય માટે તમે શું યોગદાન આપી શકોએનો વિચાર કરી સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી એવું જીવન જીવજો. અન્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત એમ.એમ. સાયન્સ કોલેજના પ્રાધ્યાપક રણજીતભાઇ કાલરીયાએ માતૃશક્તિને બિરદાવી પૂર્વ છાત્રની શિશુમંદિર પ્રત્યેની લાગણી જોઈ અભિભૂત થયા અને કહ્યું કે, આ પ્રકારના શિશુમંદિરો ભવિષ્યમાં રાષ્ટ્રનું નિર્માણ કરશે અને વિશ્વમાં સુખ શાંતિની સ્થાપના કરશે ત્યારે વિદ્યાભારતી પશ્ચિમ ક્ષેત્રના ઉપાધ્યક્ષ બાબુભાઈ અઘારા, પૂર્વ વ્યવસ્થાપક જયેશભાઈ દવે, વિદ્યાલયના મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટીયા, પ્રધાનાચાર્ય કુંદનબેન ચારોલા, નિયામક સુનીલભાઈ પરમાર, અન્ય વ્યવસ્થાપકો અને તમામ વિભાગના પ્રધાનાચાર્ય  ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓએ બાળપણમાં સહજ રીતે ભણેલ આધ્યાત્મિક સોપાનોને ખૂબ યાદ કર્યા અને વ્યવસાયમાં એ આધ્યાત્મને કારણે આગળ છે ડોક્ટર, એન્જીનીયર, ફિલ્મમેકર, ઉદ્યોગપતિ આ પ્રકારના પૂર્વ છાત્રોએ ઉપસ્થિત રહી વિદ્યાલય અને ગુરુજનો પ્રત્યેનું ઋણ વ્યક્ત કર્યું હતું આ કાર્યક્રમમાં ૨૦૦ પૂર્વ છાત્રો અને આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા




Latest News