ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

માળીયા (મિ)ના તરઘરી ગામે પરિણીતાને મરવા મજબૂર કરવાના ગુના પતિ-સાસુનો નિર્દોષ છુટકારો


SHARE







માળીયા (મિ)ના તરઘરી ગામે પરિણીતાને મરવા મજબૂર કરવાના ગુના પતિ-સાસુનો નિર્દોષ છુટકારો

માળીયા મિયાણા તાલુકાના તરઘરી ગામે પરિણીતાને મરવા મજબૂર કરવાના કેસમાં આરોપીઓની ધરપકડ થયેલ હતી અને આ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં તરઘરી ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરેલ છે

આ અંગે આરોપી તરફે વકીલ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ)ના જણાવ્યા પ્રમાણે ગત તા. ૨૬/૨/૧૭ ના રોજ માળીયા મિયાણા તાલુકાના તરઘડી ગામના મનિષાબેન લાલજીભાઈએ પોતાના ઘેર શરીરે કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરીને આપઘાત કરેલ હતો જેથી મનિષાબેનની માતાએ તેના પતિ છગન ઉર્ફે ભાવેશ કાનજીભાઈ ચૌહાણ તથા મનિષાબેનના સાસુ વિજયાબેન સામે માળીયામીયાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જે અંગે પોલીસે આઈપીસી કલમ ૪૯૮, ૩૦૬, ૧૧૪ મુજબ ફરિયાદ લઇ અને તપાસ આદરી હતી અને તપાસના અંતે માળીયામીયાણા પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું હતું અને મનિષાબેનને મરણોન્મુખ નિવેદનમાં પતિ તથા સાસુનાં ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું જે કેસ મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એ.ડી. ઓઝાની કોર્ટમાં ચાલી જતાં આરોપી છગનભાઈ તથા વિજયાબેન તરફે વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ) તેમજ મહેનાજબેન પરમાર દ્વારા રજૂ કરવામાં આવેલા ચુકાદાઓ અને ધારદાર દલીલોને ધ્યાને લઇને કોર્ટે બંને આરોપીઓનો નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો આ કેસમાં આરોપીઓ તરફેથી મોરબીના જાણીતા એડવોકેટ મનીષભાઈ ઓઝા અને મહેનાજબેન પરમાર રોકાયેલા હતા






Latest News