માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ફૂટપાથ ઉપર મોટરસાયકલ ચડી જતાં ફંગોળાઈ ગયેલા વૃદ્ધનું મોત


SHARE

















વાંકાનેરમાં ફૂટપાથ ઉપર મોટરસાયકલ ચડી જતાં ફંગોળાઈ ગયેલા વૃદ્ધનું મોત

વાંકાનેર નજીક અમરસિંહજી હાઇસ્કુલ પાસેથી પસાર થઈ ગયેલા વૃદ્ધનું મોટરસાયકલ ફૂટપાથ ઉપર ચડી ગયું હતું જેથી કરીને ફંગોળાઈ ગયેલા વૃદ્ધને માથા અને શરીરે ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું માટે હાલ મૃતકના દીકરાની ફરિયાદ લઈને વાંકાનેર સીટી પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરમાં આંબેડકર નગર શેરી નંબર ૪ માં રહેતા નાથાભાઈ રાણાભાઈ ગેડિયા (ઉંમર ૭૨) પોતાનું મોટરસાયકલ નં. જીજે ૩ ઈઇ ૨૬૧૩ લઈને વાંકાનેર મોરબી નેશનલ હાઈવે ઉપર અમરસિંહજી હાઇસ્કુલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેણે પોતાના મોટરસાયકલના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો.જેથી કરીને તેનું મોટરસાયકલ રોડ સાઈડમાં બનાવવામાં આવેલ ફુટપાથ ઉપર ચઢી ગયું હતું અને ત્યારે ફંગોળાઈ ગયેલા નાથાભાઈ રાણાભાઈ ગેડિયાને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનું મોત નિપજ્યું હતું.આ બનાવમાં મૃતક વૃદ્ધના દિકરા ગૌતમભાઈ નાથાભાઈ ગેડિયા (ઉમર ૩૭) રહે.આંબેડકરનગર શેરી નંબર ૪ વાળાની ફરિયાદ લઈને વાંકાનેર સીટી પોલીસ દ્વારા આગળ રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના વીસીપરા પાસે આવેલા વિજયનગરમાં રહેતા શરીફાબેન હનીફભાઈ સુમરા નામની ૩૯ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જતી હતી તે દરમિયાન બાઇકમાંથી નીચે પટકાતા તેણીને ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયા હતા. જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા પ્રવિણ પરસોતમભાઇ સાગઠીયા નામના ૧૮ વર્ષીય યુવાનને સામાકાંઠે કેસરબાગ નજીક મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.

યુવાન સારવારમાં

મોરબીના વીસીપરાના કુલીનગર શેરી નંબર ૨ માં રહેતા શેરઅલી હૈદરઅલી જામ નામનો ૨૫ વર્ષીય યુવાન કોઈ અકળ કારણોસર પેટ્રોલ પી જતાં તેને સારવાર માટે અહીં ક્રિષ્ના હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા બીટ વિસ્તારના જમાદાર વી.ડી.મેતાએ તપાસ કરતા ખુલ્યુ હતુ કે શેરઅલી પોતાના બાઈકમાં નળી વડે પેટ્રોલ કાઢી રહ્યો હતો ત્યારે પેટ્રોલ ખેંચવા નળી મોં માં નાંખી પેટ્રોલ ખેંચતા પેટ્રોલ મોં માં જતા તેની અસર થવાથી તેને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.




Latest News