માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

માળીયા(મી)માં મંત્રી બ્રિજેશભાઇની હાજરીમાં સુપોષણ કીટનું વિતરણ: ૪૦ બાળકોને દત્તક લેવાયા


SHARE

















માળીયા(મી)માં મંત્રી બ્રિજેશભાઇની હાજરીમાં સુપોષણ કીટનું વિતરણ: ૪૦ બાળકોને દત્તક લેવાયા

માળીયા તાલુકાની સરકારી હોસ્પિટલ ખાતે આયોજિત સમાંરભમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ કુપોષીત બાળકોની કીટનું વિતરણ કર્યા બાદ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કુપોષણ બાબતને ગંભીરતાથી લઇ કુપોષણને નાથવા માટે કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત માળીયા તાલુકાના ૪૦ બાળકોને સુપોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત માળીયા તાલુકાના લાભાર્થીઓને અન્નપૂર્ણા કીટનું પણ વિતરણ કરવામાં આવી રહી છે. વધુમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાને અમુક ગામોમાં પ્રતિનિધિઓ દ્વારા પીવાના પાણીની તકલીફ હોવાની ફરિયાદ મળી હોવાથી સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલીક નિવારણ લઇ પરિણામલક્ષી આયોજન કરવા તાકીદ કરી હતી. કોઇપણ ગામ પીવાના પાણીની સુવિધાથી વંચિત ન રહે તે માટે અમે કટિબદ્ધ હોવાનો મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સુર વ્યક્ત કર્યો હતો. આ તકે જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, હળવદ પ્રાંત અધિકારી એમ.એ. ઝાલા, મામલતદાર ડી.સી. પરમાર, તાલુકા વિકાસ અધિકારી કોંઢીયા સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News