મોરબીમાં રોટરી કલબ દ્રારા એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં આવેલ મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આઇટી ના દરોડા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા મોરબીના લીલાપર નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 40,300 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ ટંકારાના હરીપર (ભુ) ગામે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત ટંકારાના છતર પાસે ફેક્ટરીમાં શેડ ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુનાઘાંટીલામાં દિકરીના જન્મદિને ૪૦૦ ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ


SHARE













માળીયા (મી)ના જુનાઘાંટીલામાં દિકરીના જન્મદિને ૪૦૦ ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ

માળીયા મિંયાણાના જુનાઘાંટીલા ગામે રહેતા પર્યાવરણ અને પક્ષીપ્રેમી વિજયભાઈ દેત્રોજાની દિકરી પુર્વાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી અને પુર્વાના જન્મદિવસે વિજયભાઈ અને તેના પરિવારે ૪૦૦ જેટલા ચકલીઘર, ૩૦૦ જેટલા ચણ માટેના સ્ટેન્ડ, ૩૫૦ જેટલા પાણીના કુંડાનુ વિતરણ કરવામાં આવ્યું હતું અને ઉનાળાની ૪૪ ડિગ્રી તાપમાનમાં ચકલાઓને ઠંડક મળી રહે અને ચણવા માટે સમયસર ચણ અને રહેવા માટે ઘર મળી રહે તેવા આશયથી વિજયભાઈએ દિકરી પુર્વાની ઈચ્છા મુજબ આ કાર્યક્રમ કર્યો હતો આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઈ પારજીયા, મોરબી કોંગ્રેસ યુથ પ્રમુખ સંદીપભાઈ કાલરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેના હસ્તે ચકલાઘર વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ જુના ઘાંટીલા ગામના સરપંચ ઉમેશ જાકાસણીયા સહીત બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા








Latest News