ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

માળીયા (મી) નેશનલ હાઇવે ઉપરથી ૨૬૪ બોટલ દારૂ ભરેલી કાર સાથે રાજકોટનો એક શખ્સ પકડાયો


SHARE







માળીયા (મી) નેશનલ હાઇવે ઉપરથી ૨૬૪ બોટલ દારૂ ભરેલી કાર સાથે રાજકોટનો એક શખ્સ પકડાયો

માળીયા (મી) નેશનલ હાઇવે રોડ પર હોનેસ્ટ ચેક પોસ્ટ પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કામાંથી દારૂની ૨૬૪ બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ, કાર, મોબાઈલ સહિતનો મુદામાલ કબજે કરેલ છે આરોપી દારૂ કારમાં કયાથી ભરીને આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો ત્યારે સામજીભાઇ ઉઘરેજા તથા જીગ્નેશભાઇ લાંબાને સંયુકત રીતે બાતમી મળેલ હતી કે, એક સફેદ કલરની ટોયોટા કોરોલા કાર નં- જીજે ૧૦ એસી ૦૭૦૧ દારૂ ભરીને કચ્છથી માળીયા તરફ આવે છે જેથી માળીયા (મી) નેશનલ હાઇવે રોડ પર હોનેસ્ટ ચેક પોસ્ટ પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી આરોપી પૃથ્વીરાજ ગુણવંતભાઇ બગીયા જાતે સોની (ઉ.૨૧) રહે. રાજકોટ કોઠારીયા મેઇન રોડ રણુજા મંદીર આગળ સુમંગલ પાર્ક રાજકોટ વાળો મળી આવ્યો હતો અને તેની કારમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની કુલ ૨૬૪ બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ, એન્ડ્રોઇડ મોબાઇલ અને કાર ૪,૧૯,૫૦૦ નો મુદામાલ કબજે કરેલ છે આ કામગીરી પીએસઆઈ બી.ડી.જાડેજાની સૂચના મુજબ ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, સામજીભાઇ ઉઘરેજા તથા જીગ્નેશભાઇ લાંબાએ કરી હતી






Latest News