મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો મોરબીમાં પાણીથી શેરી ધોતી મહિલાને પાડોશી મહિલા સહિત ત્રણ લોકોએ માથાકૂટ કરીને માર માર્યો ટંકારામાં પડતર જીનમાંથી 144 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના શાપર ગામની સીમમાં પરિણીત પ્રેમીપંખીડાએ કર્યો સજોડે આપઘાત


SHARE













મોરબીના શાપર ગામની સીમમાં પરિણીત પ્રેમીપંખીડાએ કર્યો સજોડે આપઘાત

મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં જસમત ગઢ ગામ તરફ જવાના રસ્તા ઉપર પ્રેમીપંખીડાએ સજોડે ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો માટે તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા સાપર ગામની સીમમાં જસમત ગામ તરફ જવાના રસ્તા ઉપર લીમડાના ઝાડ સાથે ગળાફાંસો ખાઈને પરિણીત પ્રેમીપંખીડાએ આપઘાત કરી લીધો હતો જેથી યુવક અને યુવતીના મૃતદેહને ત્યાંથી ઉતારીને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં આ બનાવની તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે શાપર ગામની સીમમાં નવઘણભાઈ હરખાભાઇ પાંચિયા (ઉંમર ૨૪) અને ગીતાબેન અમરાભાઇ ભૂંડીયા (ઉંમર ૨૦) એ  લીમડાના ઝાડ સાથે ગળાફાંસો ખાઈને આપઘાટા કરી લીધેલ છે અને વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવક અને યુવતીના અલગ અલગ જગ્યાએ લગ્ન થઈ ગયા હતા અને ત્યારબાદ તે બંનેએ સજોડે આપઘાત કરેલો હોય આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ મુખ્ય કારણ હોવાની ચર્ચા થઈ રહી છે




Latest News