મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પકડાયેલા આરોપીઓના શરતી જામીન મંજૂર​​​​​​​ 


SHARE











મોરબીમાં લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પકડાયેલા આરોપીઓના શરતી જામીન મંજૂર 

મો૨બી સેસન્સ કોર્ટમાં લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ થયેલ આરોપીઓના જામીન માટે અરજી કરવામાં આવી હતી ત્યારે આરોપી સુનિલ અમરશીભાઈ વરાણીયાનવઘણ અમરશીભાઈ વરાણીયા અને ભવનભાઈ મંગાભાઈ વેસરા જાતે ભરવાડ રહેબધા જ લક્ષ્મીનગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી વાળાના વકીલ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીઓના શરતી જામીન મંજૂર કર્યા છે

થોડા સેમી પહેલા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હીરાલાલ ગણેશભાઈ નેસડીયાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી જેમાં રીયાદીની માલીકીની લક્ષ્મીનગર કો.ઓ.હા. સોસાયટી પ્લોટ નં. ૧ ઉપરના બ્લોક નં. ૨૧ વાળા પ્લોટ ઉપર આરોપીઓએ  ગેરકાયદેસર કબજો કરી વપરાશ કરી જમીન પચાવી પાડી હોવાનું લખાવ્યું હતું જેથી કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ આ૨. અગેચાણીયા રોકાયેલ હતા અને આરોપી તરફે દલીલ કરવામાં આવેલી હતી કે આરોપી તદન નદોષ છે ખોટી ફરીયાદ આધારે પોલીસે ખોટી રીતે આરોપીઓને ગંભીર ગુનામાં સંડોવી દીધેલ છે આ કામમાં મોટાભાગની તપાસ પુરી થઈ ગયેલ છે અને આરોપીની સીધી કે આડકતરી આ ગુનામાં સંડોવણી નથી અને કોઈ ગુનાહીત ભુતકાળ ધરાવતા નથી જેથી આરોપી પક્ષના વકીલની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયાજીતેન અગેચાણીયાસુનીલ માલકીયાજે.ડી. સોલંકી રોકાયેલા હતા .






Latest News