મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં પ્રિમોન્સુન કામગીરીના નામે ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: તપાસની કરી માંગ


SHARE











મોરબી પાલિકામાં પ્રિમોન્સુન કામગીરીના નામે ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: તપાસની કરી માંગ

મોરબી નગરપાલિકા દ્વારા હાલમાં પ્રિમોન્સુન કામગીરી શરૂ કરવામાં આવેલ છે જે માત્ર ઉપાછલ્લી દેખાવ પૂરતી જ કામગીરી થાય છે તેવો આક્ષેપ કર્યો છે અને પ્રિમોન્સુનમાં શહેરના વોકળા અને મોટી ગટરો વિગેરેની સફાઈ થવી જોઈએ તે થતી નથી જેથી કરીને પ્રિમોન્સુન કામગીરી હેઠળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેવી નગરપાલિકાના પ્રાદેશિક નિયામકને લેખિત રજૂઆત કરીને તપાસની માંગ કરેલ છે

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઇ રબારી નગરપાલિકાના પ્રાદેશિક નિયામકને લેખિત રજૂઆત કરીને મોરબીમાં ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હેઠળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને તટસ્થ તપાસની માંગ કરેલ છે તેમણે કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે કેમોરબી શહેરમાં આવેલ વોકળાઓ જે રાજાશાહી વખતના છે અને પાણીના નિકાલ માટેના હાલમાં આવા વોકળાઓની નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી થઈ હતી જે ફકત ઉપરછલ્લી ફકત ને ફકત બિલ બનાવવા પૂરતી જ કામગીરી થઈ છે ખરેખર આ વોકળાની ઉંડાઈ અને પહોળાઈ તેમજ વોકળાની અંદર ઉગેલ બાવળ તેમજ અનેક કચરાના ઢગલાની જે પ્રમાણે સફાઈ થવી જોઈએ તે થયેલ જ નથી

મોરબી શહેરના મોટાભાગના વોકળાઓ ઉપર કાચું પાકું બાંધકામ થયેલ છે આ બાંધકામ નીચે રહેલ નાળાની સફાઈ બિલકુલ કરવામાં આવેલ નથી . જેથી કરીને આ બાબતની તપાસ કરી સ્થળ ઉપર જઈને હકીકતમાં પ્રિમોન્સુન કામગીરી શું છે અને ખરેખર વોકળાની સફાઈ થઈ છે કેમ ? તેને ચેક કરવાની માંગ કરવામાં આવી છે અને લોકોમાં થતી ચર્ચા મુજબ આ પ્રિમોન્સુન કામગીરી ફક્ત દેખાવ પૂરતી જ કરવામાં આવી છે અને લાખો રૂપિયાના બિલ બનાવવા માટે થયેલ છે અને પ્રિમોન્સુન કામગીરીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે જેથી આ પ્રિમોન્સુન કામગીરીની તપાસ કરી ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News