મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં પ્રિમોન્સુન કામગીરીના નામે ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: તપાસની કરી માંગ


SHARE







મોરબી પાલિકામાં પ્રિમોન્સુન કામગીરીના નામે ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: તપાસની કરી માંગ

મોરબી નગરપાલિકા દ્વારા હાલમાં પ્રિમોન્સુન કામગીરી શરૂ કરવામાં આવેલ છે જે માત્ર ઉપાછલ્લી દેખાવ પૂરતી જ કામગીરી થાય છે તેવો આક્ષેપ કર્યો છે અને પ્રિમોન્સુનમાં શહેરના વોકળા અને મોટી ગટરો વિગેરેની સફાઈ થવી જોઈએ તે થતી નથી જેથી કરીને પ્રિમોન્સુન કામગીરી હેઠળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેવી નગરપાલિકાના પ્રાદેશિક નિયામકને લેખિત રજૂઆત કરીને તપાસની માંગ કરેલ છે

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઇ રબારી નગરપાલિકાના પ્રાદેશિક નિયામકને લેખિત રજૂઆત કરીને મોરબીમાં ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હેઠળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને તટસ્થ તપાસની માંગ કરેલ છે તેમણે કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે કેમોરબી શહેરમાં આવેલ વોકળાઓ જે રાજાશાહી વખતના છે અને પાણીના નિકાલ માટેના હાલમાં આવા વોકળાઓની નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી થઈ હતી જે ફકત ઉપરછલ્લી ફકત ને ફકત બિલ બનાવવા પૂરતી જ કામગીરી થઈ છે ખરેખર આ વોકળાની ઉંડાઈ અને પહોળાઈ તેમજ વોકળાની અંદર ઉગેલ બાવળ તેમજ અનેક કચરાના ઢગલાની જે પ્રમાણે સફાઈ થવી જોઈએ તે થયેલ જ નથી

મોરબી શહેરના મોટાભાગના વોકળાઓ ઉપર કાચું પાકું બાંધકામ થયેલ છે આ બાંધકામ નીચે રહેલ નાળાની સફાઈ બિલકુલ કરવામાં આવેલ નથી . જેથી કરીને આ બાબતની તપાસ કરી સ્થળ ઉપર જઈને હકીકતમાં પ્રિમોન્સુન કામગીરી શું છે અને ખરેખર વોકળાની સફાઈ થઈ છે કેમ ? તેને ચેક કરવાની માંગ કરવામાં આવી છે અને લોકોમાં થતી ચર્ચા મુજબ આ પ્રિમોન્સુન કામગીરી ફક્ત દેખાવ પૂરતી જ કરવામાં આવી છે અને લાખો રૂપિયાના બિલ બનાવવા માટે થયેલ છે અને પ્રિમોન્સુન કામગીરીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે જેથી આ પ્રિમોન્સુન કામગીરીની તપાસ કરી ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News