મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વિર વિદરકામાં દીકરીની ખરાબ વાતો કરનારને સમજાવવા ગયેલ ચાર વ્યક્તિને ચાર શખ્સોએ માર માર્યો


SHARE











માળીયા(મી)ના વિર વિદરકામાં દીકરીની ખરાબ વાતો કરનારને સમજાવવા ગયેલ ચાર વ્યક્તિને ચાર શખ્સોએ માર માર્યો

માળીયા તાલુકાના વિર વિદરકા ગામે રહેતા પરિવારની દિકરી વિશે ગામમાં એક શખ્સ ખરાબ વાતો કરતો હતો જેથી ખરાબ વાતો કરનારા શખ્સને સમજાવવા માટે ચાર વ્યક્તિઓ ગયા હતા ત્યારે તેઓની સાથે માથાકૂટ કરીને બોલાચાલી કરીને ગાળો આપી પથ્થરમાં છુટ્ટા ઘા કરીને તેમજ બાવળના બડીકાથી ચાર શખ્સોએ માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા ચાર વ્યક્તિઓને સારવાર માટે લાવ્યા હતા અને ત્યાર બાદ એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે માળીયા તાલુકાના વિર વિદરકા ગામે રહેતા હીરાભાઈ રતુભાઈ થરેશાએ માળીયા તાલુકાના વિર વિદરકા ગામે રહેતા વિક્રમભાઈ જેન્તીભાઈ શંખેશરીયા, સુધીરભાઈ લાલજીભાઈ શંખેશરીયા, બટુકભાઈ રણછોડભાઈ શંખેશરીયા અને જયંતિભાઈ લાલજીભાઈ શંખેશરીયાની સામે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપી વિક્રમ જયંતીભાઈ શંખેશરીયા રમેશભાઈ રતુભાઈની દીકરી વિશે ગામમાં ખરાબ વાતો કરતો હતો જેથી કરીને તેને સમજાવવા માટે થઈને તેઓ અને તેની સાથે નિલેશભાઈ, ભરતભાઈ અને અજયભાઈ ગયા હતા ત્યારે આરોપી વિક્રમભાઈ, સુધીરભાઈ, બટુકભાઈ અને જયંતિભાઈએ તેઓની સાથે માથાકૂટ કરી હતી અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને પથ્થર છુટ્ટા ઘા કરીને તેમજ લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને સમજાવવા માટે ગયેલા ચારેય વ્યક્તિઓને ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં અને ત્યાર બાદ હીરાભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ચારેય આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 






Latest News