માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીથી વાંકાનેર હાઈવે ઉપર નાલાના કામ પૂરા થઈ ગયા હોવાથી રસ્તા ખોલવાની માંગ


SHARE













મોરબીથી વાંકાનેર હાઈવે ઉપર નાલાના કામ પૂરા થઈ ગયા હોવાથી રસ્તા ખોલવાની માંગ

મોરબીથી વાંકાનેર નેશનલ હાઈવે નાલાઓના કામ પૂરા થઈ ગયેલ છે ત્યારે રાહદારીઓ માટે તાત્કાલીક ખુલ્લા મુકવા માટે પાલિકાના સભ્ય દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે 

મોરબી પાલિકાના સભ્ય શ્રીમતી જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા મોરબી વોર્ડ નં .૪ ના પૂર્વ કાઉન્સીલર સુરેશભાઈ શિરોહીયાગોતમભાઈ સોલંકીકાઉન્સીલર મનસુખભાઈ બરાસરાગીરીરાજસિહ ઝાલા અને ઉપપ્રમુખ મોરબી જીલ્લા ભાજપ અનુ. જાતી મોરચો બળવંતભાઈ સનાળીયા તથા ટ્રાન્સપોર્ટર અને સમાજ સેવક હર્ષદભાઈ વામજાએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કેનેશનલ હાઈવે ઉપર લાલપરરફાળેશ્વર અને મકનસર ગામ પાસે નેશનલ હાઈવે ઉપર બનાવવામાં આવેલ નાલાના કામ એકાદ વર્ષથી પૂરા થઈ ગયેલ છે છતાં નાલા ઉપર રાહદારીઓ તથા વાહનોને ચાલવા દેવામાં આવતા નથી જેના કારણે હાઈવે ઉપર વાંરવાર ટ્રાફીક જામની સમસ્યાઓ ઉભી થાય છે અને ડાયવર્જન પણ બરાબર ન હોવાના કારણે અકસ્માતનો સતત ભય રહે છે મોરબીથી વાંકાનેર હાઈવે ઉપર જે વધારાનો ટ્રાફીક થાય છે તેનુ મુળ કારણ આ બંધ પડેલ નાલા છે જેથી કરીને તેને તાત્કાલિક ખોલવામાં આવે તેવી માંગ કરી છે






Latest News