મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે ગેસ આધારિત સ્મશાનની ભઠ્ઠી કાર્યરત કરાઇ


SHARE







મોરબીના માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે ગેસ આધારિત સ્મશાનની ભઠ્ઠી કાર્યરત કરાઇ

મોરબીની પંચાસર રોડ નિલકંઠ સર્કલ પાસે આવેલ માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે માધાપરવાડી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના આર્થિક સહયોગથી ગેસ આધારિત સ્મશાનની ભઠ્ઠી કાર્યરત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતુ અને આ ભઠ્ઠીને કાર્યરત કરી દેવામાં આવી છે

મોરબીના માધાપરવાડી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હર્ષદભાઈ કણજારીયા તેમજ મંત્રી વાલજીભાઈ પરમારે જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે લાકડા આધારિત સ્મશાન ગૃહ ચાલુ છે જેમાં જુદાજુદા વાડી વિસ્તારની અંદર રહેતા લોકો તેમજ નાની વાવડી ગામ અને સનાલાના સોસાયટી વિસ્તારમાં રહેતા લોકો અવસાન પામે તો તેની અંતિમક્રિયા માટે તેના સ્વજનો આવતા હોય છે જેથી કરીને આ સ્મશાન ગૃહ  ગેસભઠ્ઠી આધારિત થાય તેના માટે  સમાજનો આર્થિક સહયોગ લેવામાં આવેલ હતો અને કામગીરી શરૂ કરવામાં આવેલ હતી અને ગેસની ભઠ્ઠી મુકવા માટેના બાંધકામ પુરુ થતા તા. 21/6 થી માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે સમાજના દાતાઓ તરફથી સહકાર હતો જેથી ગેસ આધારિત ભઠ્ઠી કાર્યરત કરવામાં આવી છે






Latest News