મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો મોરબીમાં પાણીથી શેરી ધોતી મહિલાને પાડોશી મહિલા સહિત ત્રણ લોકોએ માથાકૂટ કરીને માર માર્યો ટંકારામાં પડતર જીનમાંથી 144 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે ગેસ આધારિત સ્મશાનની ભઠ્ઠી કાર્યરત કરાઇ


SHARE













મોરબીના માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે ગેસ આધારિત સ્મશાનની ભઠ્ઠી કાર્યરત કરાઇ

મોરબીની પંચાસર રોડ નિલકંઠ સર્કલ પાસે આવેલ માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે માધાપરવાડી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના આર્થિક સહયોગથી ગેસ આધારિત સ્મશાનની ભઠ્ઠી કાર્યરત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતુ અને આ ભઠ્ઠીને કાર્યરત કરી દેવામાં આવી છે

મોરબીના માધાપરવાડી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હર્ષદભાઈ કણજારીયા તેમજ મંત્રી વાલજીભાઈ પરમારે જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે લાકડા આધારિત સ્મશાન ગૃહ ચાલુ છે જેમાં જુદાજુદા વાડી વિસ્તારની અંદર રહેતા લોકો તેમજ નાની વાવડી ગામ અને સનાલાના સોસાયટી વિસ્તારમાં રહેતા લોકો અવસાન પામે તો તેની અંતિમક્રિયા માટે તેના સ્વજનો આવતા હોય છે જેથી કરીને આ સ્મશાન ગૃહ  ગેસભઠ્ઠી આધારિત થાય તેના માટે  સમાજનો આર્થિક સહયોગ લેવામાં આવેલ હતો અને કામગીરી શરૂ કરવામાં આવેલ હતી અને ગેસની ભઠ્ઠી મુકવા માટેના બાંધકામ પુરુ થતા તા. 21/6 થી માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે સમાજના દાતાઓ તરફથી સહકાર હતો જેથી ગેસ આધારિત ભઠ્ઠી કાર્યરત કરવામાં આવી છે




Latest News