મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે ગેસ આધારિત સ્મશાનની ભઠ્ઠી કાર્યરત કરાઇ


SHARE

















મોરબીના માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે ગેસ આધારિત સ્મશાનની ભઠ્ઠી કાર્યરત કરાઇ

મોરબીની પંચાસર રોડ નિલકંઠ સર્કલ પાસે આવેલ માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે માધાપરવાડી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના આર્થિક સહયોગથી ગેસ આધારિત સ્મશાનની ભઠ્ઠી કાર્યરત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતુ અને આ ભઠ્ઠીને કાર્યરત કરી દેવામાં આવી છે

મોરબીના માધાપરવાડી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હર્ષદભાઈ કણજારીયા તેમજ મંત્રી વાલજીભાઈ પરમારે જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે લાકડા આધારિત સ્મશાન ગૃહ ચાલુ છે જેમાં જુદાજુદા વાડી વિસ્તારની અંદર રહેતા લોકો તેમજ નાની વાવડી ગામ અને સનાલાના સોસાયટી વિસ્તારમાં રહેતા લોકો અવસાન પામે તો તેની અંતિમક્રિયા માટે તેના સ્વજનો આવતા હોય છે જેથી કરીને આ સ્મશાન ગૃહ  ગેસભઠ્ઠી આધારિત થાય તેના માટે  સમાજનો આર્થિક સહયોગ લેવામાં આવેલ હતો અને કામગીરી શરૂ કરવામાં આવેલ હતી અને ગેસની ભઠ્ઠી મુકવા માટેના બાંધકામ પુરુ થતા તા. 21/6 થી માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે સમાજના દાતાઓ તરફથી સહકાર હતો જેથી ગેસ આધારિત ભઠ્ઠી કાર્યરત કરવામાં આવી છે




Latest News