મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામા સિઝનનો સૌથી વધુ વરસાદ વાંકનેરમાં- સૌથી ઓછો મોરબીમાં


SHARE







મોરબી જીલ્લામા સિઝનનો સૌથી વધુ વરસાદ વાંકનેરમાં- સૌથી ઓછો મોરબીમાં

મોરબી જીલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં સૌથી વધુ વરસાદ વાંકાનેર તાલુકામાં ૧૩૬ એમએમ નોંધાયો છે જો કે, મોરબી તાલુકામાં સૌથી ઓછો ૬૬ એમએમ વરસાદ નોંધાયો છે તેમ છતાં પણ મોરબીની નજીકમાં આવેલ મચ્છુ-૩ ડેમ ૯૨ ટકા ભરાઈ ગયો હોવાથી હાલમાં સિચાઈ વિભાગ દ્વારા ૧૫ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે

 મોરબી જીલ્લામાં હજુ મેઘરાજ ટેસ્ટ મેચ રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને જુદાજુદા વિસ્તરોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના કંટ્રોલ રૂમમાથી મળી રહેલી માહિતી મુજબ છેલ્લી ૨૪ કલાકમાં પાંચ તાલુકામાથી એક માત્ર ટંકારામાં ૧૪ એમએમ વરસાદ નોંધાયો છે જો કે, ચાલુ સિઝનની વાત કરીએ તો અત્યાર સુધીમા જે વરસાદ પડ્યો છે તેમાં વાંકાનેર ૧૩૬ એમએમ, ટંકારા ૯૯ એમએમ, માળીયા ૮૩ એમએમ, હળવદ ૭૮ એમએમ અને મોરબીમાં ૬૬ એમએમ વરસાદ થયો છે

 

મોરબી નજીક આવેલા મચ્છુ-૩ ડેમ હાલમાં ૯૨ ટકા ભરાયેલો છે જેથી કરીને એક સારો વરસાદ પડતની સાથે જ ડેમના દરવાજા ખોલીને વરસાદી પાણી નદીમાં ગમે ત્યારે છોડવામાં આવે તેમ છે જેથી ડેમની નીચેના ભાગમાં આવતા ૧૫ થી વધુ ગામના લોકોને એલર્ટ કરવામાં આવેલ છે જે ગામોને એલર્ટ કરેલ છે તેમાં ગોર ખીજડિયાવનાળિયામાનસરનવા સાદુંળકાજુના સાદુંળકારવાપર (નદી)અમરનગરગૂંગણનવા નાગડવાસજુના નાગડવાસબહાદુરગઢનારણકાઅમરેલીધરમપુર સહિતના ગામોનો સમાવેશ થાય છે 

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 
 
 





Latest News