મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના કુંભારપરામાં જુગાર રમતા ચાર શખ્સો ૧૯,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા


SHARE







વાંકાનેરના કુંભારપરામાં જુગાર રમતા ચાર શખ્સો ૧૯,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા

વાંકાનેરના કુંભારપરામાં આવેલ રામાપીરના મંદીર પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાથી ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂપીયા ૧૯૫૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી

વાંકાનેર પોલીસ સ્ટેશનના દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળાને સંયુકત હકીકત મળેલ હતી કે કુંભારપરામાં રામાપીરના મંદીર પાસે જાહેર શેરીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક ઇસમો હારજીતનો જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે નવઘણભાઈ વજાભાઈ શામળ જાતે રબારી ઉ.૩૫, લાલજીભાઈ બાબુભાઇ સારદીયા જાતે કોળી ઉ.૩૫, રાજુભાઈ જગાભાઈ ઉઘરેજા જાતે કોળી ઉ.૪૨ અને અનીલભાઈ નરશીભાઈ તાવીયા જાતે કોળી ઉ.૩૯ રહે. બધા જ કુંભારપરા વાળાની પોલીસે રોકડા રૂપીયા ૧૯૫૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી છે અને આ કામગીરી પીઆઇ એચ.એન.રાઠોડની સૂચના મુજબ હીરાભાઈ તેજાભાઈ મઠીયા, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, કૃષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા, અજીતભાઈ ભુરાભાઈ સોલંકીએ કરી હતી 

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News