મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક તરીકે દેવેન રબારીની વરણી


SHARE







મોરબી શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક તરીકે દેવેન રબારીની વરણી

મોરબી સમસ્ત મચ્છુકાંઠાના  રબારી સમાજના યુવાનોના ઉત્થાન માટે શ્રી વડવાળા યુવા સંગઠન સક્રિય છે આ સંગઠનના મુખ્ય સંયોજક તરીકે દેવેનભાઈ રબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે ત્યારે તેમણે રબારી સમાજમાં શૈક્ષણિકસામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી જાગૃતિ લાવવા પર ભાર મુક્યો હતો અને આગામી સમયમાં માલધારી સમેલનનું આયોજન  કરવાનું પણ જણાવ્યું છે

મોરબીના શ્રી વડવાળા યુવા સંગઠનની તાજેતરમાં અષાઢી બીજના પાવન અવસરે મોરબીના અયોધ્યા પુરી રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે કોરોબારી બેઠક મળી હતી. જેમાં શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક તરીકે દેવેનભાઈ રબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી અને કારોબારીમાં ૭૧ સભ્યોની નિમણુંક કરવામાં આવી છે આ પ્રસંગે રબારી સમાજના અગ્રણીઓ સોહનભાઈ રગીયામોતીભાઈ કરોતરારાયમલભાઈ રબારીભરતભાઇ રબારીહીરાભાઈ ખાંભલાધારાભાઈ ટમાંરિયા સહિતના યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને દેવેનભાઈની વરણીને આવકારી હતી.

આ તકે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કેરબારી સમાજમાં જે મને મોભાદાર પદ સાથે જવાબદારી સોપી છે અને સમાજે મારા ઉપર જે વિશ્વાસ મુક્યો છે. તેના પુરી નિષ્ઠાની નિભાવીશ. તેમજ રબારી સમાજમાં ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રે ઉતરોતર વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહીશ અને શૈક્ષણિકસામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સમાજમાં જાગૃતિ લાવવા માટેના તેમના દ્વારા પ્રયાસો કરવામાં આવસે અને આગામી સમયમાં માલધારી સંમેલનનું આયોજન કરવામાં આવશે






Latest News