મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા તાલુકાનાં બોડકી ગામે પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ


SHARE













માળીયા તાલુકાનાં બોડકી ગામે પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ
 

મોરબી જીલ્લાના માળિયા (મી.) તાલુકાનું બોડકી ગામ આજની તારીખે પણ પાયાની સારી સુવિધાઓ ઝાંખી રહ્યું છે ત્યારે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ હાલમાં સીએમને આ મુદે લેખિત રજૂઆત કરેલ છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ સીએમને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કેબોડકી માળીયા તાલુકાનું દરિયાના કિનારે આવેલું ગામાં છે અને દરિયાનું ખરું પાણી આ ગામના વોકળામાં ગામ સુધી પહોચે છે અને ગામમાં દરરોજ પાણી આવતું નથી પંદર દિવસે એક વાર પાણી આવે છે, રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, વર્ષામેડી ફટકાથી બોડકી જવાનો રોડ ખુબ જ બિસ્માર છે, દહીસરથી ખીરસરા અને ત્યાંથી બોડકી જતો રોડ પણ ખરાબ છે અને નવા પ્લોટમાં જ્યાં ફક્ત કોળી સમાજના લોકો જ રહે છે. ત્યાં તો પાણીની કોઈ સુવિધાજ નથી   

 આ ગામે ક્ષાર અંકુશ વિભાગ દ્વારા એક મીઠા પાણીનો સંગ્રહ કરવા માટેનો બંધારો બાંધવામાં આવેલો છે. જે હાલ માં તૂટેલી હાલત માં છે. સરકાર દ્વારા ૪૩ કરોડ જેટલી રકમનો ખર્ચ કર્યો છે.  અને આ બંધારો તૂટી ગયા પછી સરકાર રીપેરીંગ પણ કરતી નથી. આમ બોડકી ગામે સિંચાઈની કોઈ સુવિધા નથી જેથી ગામના ખેડૂતો હિજરત કરી રહ્યા છે. હાલમાં ગામમાં ૫૦% થી પણ ઓછા ખેડૂતો રહે છે જેથી કરીને બોડકી  ગામને  પાયાની સુવિધા આપવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો સુવિધા નહિ આપવામાં આવે તો ના છુટકે ગ્રામજનોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવામાં આવશે 






Latest News