મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

માળીયા તાલુકાનાં બોડકી ગામે પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ


SHARE











માળીયા તાલુકાનાં બોડકી ગામે પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ
 

મોરબી જીલ્લાના માળિયા (મી.) તાલુકાનું બોડકી ગામ આજની તારીખે પણ પાયાની સારી સુવિધાઓ ઝાંખી રહ્યું છે ત્યારે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ હાલમાં સીએમને આ મુદે લેખિત રજૂઆત કરેલ છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ સીએમને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કેબોડકી માળીયા તાલુકાનું દરિયાના કિનારે આવેલું ગામાં છે અને દરિયાનું ખરું પાણી આ ગામના વોકળામાં ગામ સુધી પહોચે છે અને ગામમાં દરરોજ પાણી આવતું નથી પંદર દિવસે એક વાર પાણી આવે છે, રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, વર્ષામેડી ફટકાથી બોડકી જવાનો રોડ ખુબ જ બિસ્માર છે, દહીસરથી ખીરસરા અને ત્યાંથી બોડકી જતો રોડ પણ ખરાબ છે અને નવા પ્લોટમાં જ્યાં ફક્ત કોળી સમાજના લોકો જ રહે છે. ત્યાં તો પાણીની કોઈ સુવિધાજ નથી   

 આ ગામે ક્ષાર અંકુશ વિભાગ દ્વારા એક મીઠા પાણીનો સંગ્રહ કરવા માટેનો બંધારો બાંધવામાં આવેલો છે. જે હાલ માં તૂટેલી હાલત માં છે. સરકાર દ્વારા ૪૩ કરોડ જેટલી રકમનો ખર્ચ કર્યો છે.  અને આ બંધારો તૂટી ગયા પછી સરકાર રીપેરીંગ પણ કરતી નથી. આમ બોડકી ગામે સિંચાઈની કોઈ સુવિધા નથી જેથી ગામના ખેડૂતો હિજરત કરી રહ્યા છે. હાલમાં ગામમાં ૫૦% થી પણ ઓછા ખેડૂતો રહે છે જેથી કરીને બોડકી  ગામને  પાયાની સુવિધા આપવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો સુવિધા નહિ આપવામાં આવે તો ના છુટકે ગ્રામજનોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવામાં આવશે 






Latest News