માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા નજીક સનહાર્ટ સિરામિકની ઓરડીમાં ઝેરી જનાવર કરડી જતાં યુવાનનું મોત


SHARE







વાંકાનેરના ઢુવા નજીક સનહાર્ટ સિરામિકની ઓરડીમાં ઝેરી જનાવર કરડી જતાં યુવાનનું મોત

વાંકાનેરના ઢુવા પાસે આવેલ સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા યુવાનને તેની ઓરડીમાં ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી તેને ઝેરી અસર થવાથી સારવાર માટે તાત્કાલિક મોરબી સિવિલે લઈને આવ્યા હતા ત્યારે સિવિલ હોસ્પિટલે ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી આ બનાવવાની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ સનહાર્ટ સિરામિક (sunheart ceramic)ની ઓરડીમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો મૂળ એમપીનો રહેવાસી સંજુભાઈ મનુભાઈ માવી (ઉંમર ૨૭) નામનો યુવાન પોતાની ઓરડીમાં હતો ત્યારે કોઈ ઝેરી જનાવર તેને કરડી જતા તેને ઝેરી અસર થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બાઇક સ્લીપ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ હળવદ રોડ ઉપર મીલી પાર્કમાં રહેતા છગનભાઈ રાઘવજીભાઈ દેત્રોજા (ઉંમર ૬૫) સીએનજી પમ્પ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા ઉપર સ્પીડ બ્રેકર આવતા તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી તેઓને ઈજા થતા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે તેને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લાલપર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોહનભાઈ અરજણભાઈ ચાવડા (ઉંમર ૫૧) નામના આધેડને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં મોહનભાઈ ચાવડાને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News