મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર
Breaking news
Morbi Today

વાંકાનેરના વરડુસરનો બનાવ : તું અહીંથી કેમ ચાલે છે આ મારું ખેતર છે તેવું કહીને નાનાભાઈએ મોટાભાઈને માર માર્યો..!


SHARE













વાંકાનેરના વરડુસરનો બનાવ : તું અહીંથી કેમ ચાલે છે આ મારું ખેતર છે તેવું કહીને નાનાભાઈએ મોટાભાઈને માર માર્યો..!

વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતો યુવાન તેના ખેતર તરફ જતો હતો અને તેના નાના ભાઈના ખેતરમાંથી રસ્તો નીકળતો હોય તે ત્યાંથી પસાર થતાં તેને રોકીને “તું અહીંથી કેમ ચાલે છે આ મારું ખેતર છે” તેવું કહીને તેને ગાળોને ઝઘડો કરીને લાકડીના ધોકા વડે તેને માર માર્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવારમાં લાવ્યા હતા ત્યાર બાદ યુવાને પોતાના નાના ભાઈની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતા મનસુખભાઈ જાદુભાઈ નદાસિયા જાતે કોળી (ઉમર 32)એ તેના નાના ભાઈ જયસુખભાઈ જાદુભાઈ નદાસિયા જાતે કોળી રહે વરડુસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વરડુસર ગામેથી ભેરડાના રસ્તે ઝંડિયાવાળા ખેતરમાં તેને તેના નાના ભાઈએ માર માર્યો હતો જેથી તેને ઈજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો વધુમાં તેને જણાવ્યું છે કે પોતાનું ખેતર તેના નાના ભાઈના ખેતરની બાજુમાં જ આવેલ છે અને બંનેના ખેતર તરફ જવાનો એક જ રસ્તો હોય તે રસ્તા ઉપરથી ફરિયાદી મનસુખભાઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે “તું અહીંથી કેમ ચાલે છે આ ખેતર મારું છે” તેવું કહીને તેના નાના ભાઈએ તેને ગાળો આપીને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ લાકડી વડે માર માર્યો હતો જેથી ભોગ બનેલા મનસુખભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને પોતાના નાનાભાઈની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News