માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં મહિલા ભાજપ દ્વારા શહિદવિરને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ


SHARE

















મોરબી જિલ્લામાં મહિલા ભાજપ દ્વારા શહિદવિરને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

આજરોજ ૭૫માં સ્વતંત્ર દિન નિમિત્તે મોરબી ખાતે શહીદ વીર દામજીભાઈ અમરશીભાઈ બુડાસણાને શ્રદ્ધાંજલિ આપવા માટે મોરબી ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, મહામંત્રી હંસાબેન રંગપરીયા અને મંજુલાબેન ચૌહાણ, નૂતનબેન વિડજા, મોરબી તાલુકા પંચાયત ચેરમેન રાકેશભાઈ કાવર તથા મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, રમેશભાઈ ભીમાણી, મહાદેવભાઇ રંગપરીયા તથા તેના કુટુંબીજનો હાજર રહેલ હતા અને શહીદવીર દામજીભાઈના ધર્મપત્ની બાળકોના અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા હોવાથી તેમના મોટાભાઈ કેશવજીભાઇ અમરશીભાઈના ઘરે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ હતો અને શહીદવીર દામજીભાઈને પુષ્પની માળા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના મોટાભાઈને શાલ ઓઢાડી સન્માન કરેલ હતું દામજીભાઈ બંગાળની ખાડીમાં દેશના રક્ષણ માટે પેટ્રોલિંગ દરમિયાન વાવાઝોડું આવતા પોતાની બોટ ઉંધી વળી ગયેલ અને આપણા દેશ માટે શહીદ થઈ ગયા હતા તેમનું વતન માળીયા તાલુકાનું રાસંગપર ગામ છે અને દામજીભાઈ બીએસએફમાં પોતાની ફરજ બજાવતા હતા  

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News