મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામે કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ ગ્રામજનો સાથે સાંભળ્યો મન કી બાત કાર્યક્રમ


SHARE











મોરબીના પંચાસર ગામે કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ ગ્રામજનો સાથે સાંભળ્યો મન કી બાત કાર્યક્રમ

દેશના લોકપ્રીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે ભારતભરમા મન કી બાતનો કાર્યક્રમ પ્રસારિત કરવામા આવે છે.મોરબી તાલુકામા દરેક શકિતકેન્દ્ર દિઠ "મન કી બાત ટીફીન કે સાથ" કાર્યક્રમ યોજાય છે.

પંચાસર ગામે ગુજરાત સરકારના વન, પર્યાવરણ, કલાઇમેન્ટ ચેન્જ, છાપકામ, કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયા, સહકારી આગેવાન મગનભાઇ વડાવીયા, નાથુભા ઝાલા, વેલજીભાઇ (બોસ સિરામીક), તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાંસદડીયા,નરેન્દ્રસિંહ ઝાલા, બચુભાઇ ગરચર, સિધ્ધરાજસિંહ જાડેજા, લાલજીભાઇ સોલંકી, નિતેશ બાવરવા, જીજ્ઞેશ કાનાણી, ઉમેશ ગોધવીયા, પંચાસર સરપંચ ભગીરથસિંહ, માણેકવાળા સરપંચ બ્રીજરાજસિંહ, રમેશભાઇ કાનાણી, નવધણભાઇ, વસંત ટુંડીયા, મોટી વાવડી સરપંચ ભગીરથસિંહ જાડેજા સૌએ સાથે મળી પ્રધાનમંત્રીની મન કી બાત નિહાળી હતી.કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ મન કી બાત બાબતે જણાવ્યું કે, વડાપ્રધાન દેશના ખુણે ખુણે બનતી ભારતને ગૌરવ અપાવતી ધટના હોય કે રમતવિરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની વાત કે નાના નાના રમકડા બનાવતા ગરીબ શ્રમિકનો ઉલ્લેખ જરુર મનકી બાત કાર્યક્રમમા કરતા હોય છે.જેમાંથી સૌને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિધ્ધ કરવાની પ્રેરણા મળે છે.મંત્રી )એ તમામ દેશવાસીઓને દર મહિનાના છેલ્લા રવિવારે સવારે ૧૧ વાગે મન કાં બાતનો કાર્યક્રમ ટીવી સ્કીન ઉપર નિહાળવો જોઇએ એવી અપિલ કરી હતી.પંસાસર-શિવનગર ગામના આગેવાનોએ મંત્રીનુ ઢોલ નગારા સાથે સ્વાગત તેમજ વિશિષ્ટ સન્માન કર્યુ હતું.

 






Latest News