મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન મંદિરે મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાની હાજરીમાં કરાઇ વન મહોત્સવની ઉજવણી


SHARE











મોરબીના ખોખરા હનુમાન મંદિરે મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાની હાજરીમાં કરાઇ વન મહોત્સવની ઉજવણી

મોરબી નજીક આવેલ ખોખરા હનુમાનજી ધામ બેલા-રંગપર ખાતે જિલ્લાકક્ષાના ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મંત્રી અધ્યક્ષસ્થાને ધમેન્‍દ્રસિંહ જાડેજા હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે,  ઇ.સ. ૧૯૫૦માં કનૈયાલાલ મુનશીએ વનમહોત્સવ ઉજવણીની જાહેરાત કરી હતી. તેમજ જયારે કેન્દ્ર સરકારમાં પર્યાવરણ ખાતુ નવુ શરૂ કરવામાં આવ્યું ત્યારે તેને પ્રથમ મંત્રી તરીકે વાંકાનેર  રાજવી પરીવારના દિગવિજયસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વને કોરોના મહામારીએ હલાવી નાખી ત્યારે આપણે બધાને વૃક્ષોનું મહત્વ સમજાયું હશે. ગુજરાત ગ્રીન બને અને રણીયામણું બને એ માટે રાજય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે.આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયા અને મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ પાનાં પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને કનકેશ્વરીદેવીએ વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતુ કે આપણુ શરીર પાંચ તત્વોનું બનેલુ છે તેથી આપણે દરેકે પાંચ વૃક્ષો વાવા જોઇએ. વૃક્ષો વગર અસ્તિત્વ શકય નથી. જીવશૃષ્ટીના અસ્તિત્વ સાથે વૃક્ષોનું પણ અસ્તિત્વ જોડાયેલું છે. અને આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન અને કાર્યક્રમના અંતે આભારવિધિ હળવદ આર.એફ.ઓ. પી.જે. જાડેજાએ કરી હતી. અને આ કાર્યક્રમમાં હળવદ ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા, કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસવડા એસ.આર ઓડેદરા, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, અગ્રણી સર્વે જયોતિસિંહ જાડેજા, કેશરીસિંહજી, અજયભાઇ લોરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

 






Latest News