મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યા મંદિરમાં આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે


SHARE











મોરબી સાર્થક વિદ્યા મંદિરમાં આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

નિયામક આયુષની કચેરી,  ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી મોરબીની સૂચના તથા માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું જનરલ હોસ્પિટલ મોરબી તેમજ સરકારી હોમિયોપથી દવાખાનું જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા સાર્થક વિદ્યા મંદિરના સહયોગથી વિનામૂલ્યે આયુર્વેદ   તથા હોમિયોપથી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેનો વધુમાં વધુ લાભ લેવા માટે તમામ વિદ્યાર્થીઓ,  વાલીઓ તેમજ જાહેર જનતાને અપીલ કરેલ છે

મોરબીમાં આગામી શુક્રવારને તા ૫ ના રોજ સવારે ૯ થી ૧૨:૩૦ કલાક સુધી કેમ્પ યોજાશે તે કેમ્પમાં વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર, વૈદ્ય જિગ્નેશભાઈ બોરસાણિયા, અને ડૉ. હેતલબેન હળપતિ સેવા આપશે અને આ કેમ્પમાં આયુર્વેદિક તેમજ હોમિયોપથિક નિદાન અને સારવારમ, આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ  યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા વિતરણ, હોમિયોપથિક રોગ પ્રતિરોધક દવા વિતરણ, બાળકો તથા સગર્ભા મહિલાઓ  માટે પોષણક્ષમ વાનગીઓનુ ચાર્ટ દ્વારા માર્ગદર્શન, હરસ, મસા, શ્વાસ,  એલર્જી, ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ,પાચન સંબંધી તકલીફ તેમજ જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર વિનામુલ્યે કરવામાં આવશે તેમજ "ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ" આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન આપવામા આવશે






Latest News