મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

અવળચંડાઈની હદ વટોળી !:વાંકાનેરમાં જન્માષ્ટમીના લોકમેળાની ફરીથી હરરજી કરવા આદેશ


SHARE







અવળચંડાઈની હદ વટોળી !:વાંકાનેરમાં જન્માષ્ટમીના લોકમેળાની ફરીથી હરરજી કરવા આદેશ

વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે સાતમ આઠમનો મેળો યોજાતો હોય છે જોકે, આગામી દિવસોમાં જન્માષ્ટમીના પર્વ ઉપર મેળો યોજાશે કે કેમ તેને લઈને અવઢવ છે કેમ કે, ગણેશ મહોત્સવ સમિતિ સહિત બે પાર્ટી દ્વારા મેળાના મેદાનની માંગણી કરવામાં આવી છે અને જેનો ભાવ ઊંચો છે તેને મેળો ખોટી રીતે આપવામાં આવે છે તેવી પરદેશી કમિશ્નરમાં અરજી કરવામાં આવેલ છે જેથી કરીને હવે મેળાના મેદાની હરરજી માટે ફરીથી પ્રક્રિયા કરવાનો આદેશ કરવામાં આવેલ છે

વાંકાનેર નગરપાલિકા વિસ્તારની અંદર દર વર્ષે ગણેશ મહોત્સવ સમિતિને વાંકાનેર પાલિકા દ્વારા નિયમ પ્રમાણે ચાર્જ વસૂલ કરીને મેળાનું મેદાન આપવામાં આવતું હોય છે અને ત્યાં મેળાનું આયોજન કરવામાં આવે છે જોકે આ વર્ષે ગણેશ મહોત્સવ સમિતિ વતી રાકેશભાઈ ઝાલા દ્વારા આ મેળાના મેદાન માટે થઈને અરજી કરવામાં આવી હતી તો સામાપક્ષેથી એનસીપીના પૂર્વ ઉમેદવાર અને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમુભાઈ ઠાકરાણી દ્વારા મેળાના મેદાન માટે અરજી કરવામાં આવી હતી અને અમુભાઈ ઠાકરાણીમેળાના મેદાન માટે ૨.૦૫ લાખની ઓફર કરી હતી જો કે, ગણેશ મહોત્સવ સમિતિ૨.૫૫ લાખની ઓફર કરી હતી જેથી તેને મેદાન મળે તેવી શક્યતા હતી જો કે, અમુભાઈ દ્વારા મેળાના મેદાનની ખોટી રીતે ફાળવણી કરવામાં આવી રહી છે તેવી પ્રદેશ્ક કમિશ્નરની કચેરીમાં અરજી કરવામાં આવી છે જેથી કરીને પ્રદેશિક કમિશ્નરે મેળાના મેદાન માટે ફરીથી હરરજી કરવાનો આદેશ કર્યો છે ત્યારે હવે કયારે હરરજી કરવામાં આવશે અને મેળાનું આયોજન કરવામાં આવશે કે કેમ તે સહિતના પ્રશ્નો ઊભા થયા છે 






Latest News