ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના ખાખરેયા ગામે નદીમાં ન્હાવા જતાં પથ્થર વાગવાથી ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE













માળીયા(મી)ના ખાખરેયા ગામે નદીમાં ન્હાવા જતાં પથ્થર વાગવાથી ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

માળીયા તાલુકાના ખાખરેયા ગામે આવેલ નદીમાં ન્હાવા માટે પડેલ યુવાનને છાતી અને ગળાના ભાગે પથ્થર વાગવાથી તેને ગંભીર ઈજા થઈ હતી માટે તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત થયું છે જેથી કરીને બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા સોંઢાભાઈ ચનાભાઇ પાટડીયા (ઉંમર વર્ષ ૨૨) પોતાના ગામની બાજુમાં આવેલ નદીમાં નાહવા માટે પડ્યા હતા અને ત્યારે નદીમાં પડતાની સાથે જ તેને છાતી અને ગળાના ભાગે નદીમાં રહેલ પથ્થર વાગતા તેને ગંભીર ઇજાઓ થઇ હતી માટે તેઓને પ્રથમ સારવાર માટે ખાખરેચી અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ હતો જોકે યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News