વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં પ્રેમી સાથે રહેતી સગર્ભા યુવતીનું સારવાર દરમ્યાન મોત


SHARE













વાંકાનેર નજીક કારખાનામાં પ્રેમી સાથે રહેતી સગર્ભા યુવતીનું સારવાર દરમ્યાન મોત

વાંકાનેરના ભુજપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં પ્રેમીની સાથે રહેતી યુવતીને છેલ્લા દિવસોથી તાવ આવતો હતો જેથી તેને પ્રથમ સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં બેભાન હાલતમાં યુવતીની સારવાર ચાલી રહી હતી અને સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજ્યું છે જેથી કરીને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મુળ છોટા ઉદયપુર જિલ્લાની રહેવાસી અને હાલમાં વાંકાનેરના ભોજપર ગામની સીમમાં ક્યુરેક્સ સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતી જ્યોત્સનાબેન શેખાભાઈ ઉર્ફે શંકરભાઈ નાયકા જાતે આદિવાસી (ઉમર ૧૮) નામની યુવતી તેના પ્રેમી અનકેસભાઈ ટીનીયાભાઈ રાઠવા સાથે કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતી હતી અને તેને છેલ્લા દિવસોથી તાવ આવતો હતો જેથી પ્રથમ સારવાર માટે વાંકાનેર ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે આ યુવતીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવતીને ત્રણ માસનો ગર્ભ હતો અને તાવ સબબ તેમજ લોહીની ટકાવારી ઓછી હોવાના કારણે અને બીમારીના લીધે તેનું મૃત્યુ થયું હોવાનું ડોક્ટર પાસેથી જાણવા મળી રહ્યું છે હાલમાં આ બનાવની વાંકાનેર સિટી પોલીસ દ્વારા નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News