વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

વાંકાનેરના કોટડા નાયાણીમાં તળાવ કાંઠે મહિલા ન્હાતી હોય ત્યાંથી નીકળેલા જેસીબીના ડ્રાઈવરને ઠપકો આપનારા યુવાન અને મહિલા સહિત ત્રણને માર માર્યો


SHARE













વાંકાનેરના કોટડા નાયાણીમાં તળાવ કાંઠે મહિલા ન્હાતી હોય ત્યાંથી નીકળેલા જેસીબીના ડ્રાઈવરને ઠપકો આપનારા યુવાન અને મહિલા સહિત ત્રણને માર માર્યો

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે તળાવ કાંઠે મહિલા ન્હાવા માટે જતા હોય છે ત્યાંથી જેસીબીનો ડ્રાઇવર તેનું વાહન લઈને નીકળતા તેને રોકીને ઠપકો આપ્યો હતો જે બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા યુવાન અને મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓને કુહાડી, ઘોકા અને પાવડા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા હરેશભાઈ જયંતીભાઈ સોલંકી (ઉંમર ૨૭) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બળદેવસિંહ બળુભા નોંઘુભા જાડેજા, દેવુભા બળદેવસિંહ જાડેજા અને માલદેવસિંહ ઉર્ફે માલુભા માઘુભા રહે. ત્રણેય કોટડા નાયાણી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, બળદેવસિંહ જાડેજાના જેસીબીનો ડ્રાઇવર તળાવના કાંઠેથી જેસીબી લઈન નીકળ્યો હતો ત્યારે ફરિયાદીના ઘરના ત્યાં નાહવા ધોવા માટે ગયા હતા તે બાબતે તેને ઠપકો આપ્યો હતો જે તેઓને સારું નહીં લાગતા તેનું મન દુઃખ રાખીને બળદેવસિંહ જાડેજા સહિતના ત્રણેય શખ્સો તેની પાસે આવ્યા હતા અને યુવાનને બળદેવસિંહે કુહાડી વડે માર માર્યો હતો તેમજ દેવુભાઈએ પાવડાથી અને માલદેવસિંહએ લાકડી વડે અને ઢીકા પાટુનો માર મારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આટલું જ નહીં સંજયભાઈ તેમજ જશુબેનને પણ પાવડા અને ધોકા વડે માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા હરેશભાઈ સોલંકીએ સારવાર લીધા બાદ હાલમાં ત્રણેય સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે






Latest News