મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના કોટડા નાયાણીમાં તળાવ કાંઠે મહિલા ન્હાતી હોય ત્યાંથી નીકળેલા જેસીબીના ડ્રાઈવરને ઠપકો આપનારા યુવાન અને મહિલા સહિત ત્રણને માર માર્યો


SHARE







વાંકાનેરના કોટડા નાયાણીમાં તળાવ કાંઠે મહિલા ન્હાતી હોય ત્યાંથી નીકળેલા જેસીબીના ડ્રાઈવરને ઠપકો આપનારા યુવાન અને મહિલા સહિત ત્રણને માર માર્યો

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે તળાવ કાંઠે મહિલા ન્હાવા માટે જતા હોય છે ત્યાંથી જેસીબીનો ડ્રાઇવર તેનું વાહન લઈને નીકળતા તેને રોકીને ઠપકો આપ્યો હતો જે બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા યુવાન અને મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓને કુહાડી, ઘોકા અને પાવડા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા હરેશભાઈ જયંતીભાઈ સોલંકી (ઉંમર ૨૭) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બળદેવસિંહ બળુભા નોંઘુભા જાડેજા, દેવુભા બળદેવસિંહ જાડેજા અને માલદેવસિંહ ઉર્ફે માલુભા માઘુભા રહે. ત્રણેય કોટડા નાયાણી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, બળદેવસિંહ જાડેજાના જેસીબીનો ડ્રાઇવર તળાવના કાંઠેથી જેસીબી લઈન નીકળ્યો હતો ત્યારે ફરિયાદીના ઘરના ત્યાં નાહવા ધોવા માટે ગયા હતા તે બાબતે તેને ઠપકો આપ્યો હતો જે તેઓને સારું નહીં લાગતા તેનું મન દુઃખ રાખીને બળદેવસિંહ જાડેજા સહિતના ત્રણેય શખ્સો તેની પાસે આવ્યા હતા અને યુવાનને બળદેવસિંહે કુહાડી વડે માર માર્યો હતો તેમજ દેવુભાઈએ પાવડાથી અને માલદેવસિંહએ લાકડી વડે અને ઢીકા પાટુનો માર મારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આટલું જ નહીં સંજયભાઈ તેમજ જશુબેનને પણ પાવડા અને ધોકા વડે માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા હરેશભાઈ સોલંકીએ સારવાર લીધા બાદ હાલમાં ત્રણેય સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે






Latest News