વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં છત ઉપરથી નીચે પટકાયેલ બાળકીનું મોત


SHARE













વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં છત ઉપરથી નીચે પટકાયેલ બાળકીનું મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં છત ઉપરથી રમતા રમતા નીચે પડી ગયેલ બાળકીને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે।

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ રોલેક્સ સિરામીક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા શૈલેષભાઈ વજાભાઈ ગરાસીયાની ત્રણ વર્ષની દીકરી પૂજાબેન કારખાનામાં મકાનની છત ઉપર રમતી હતી ત્યારે ત્યાંથી રમતા રમતા તે નીચે પડી ગઈ હતી જેથી કરીને પૂજાને માથાના ભાગે ગંભીર જાતે હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વૃદ્ધનું મોત

મોરબી નજીકના ભડીયાદ ગામે આવેલ હરિઓમ પાર્કમાં રહેતા લક્ષ્મણભાઈ દેવશીભાઈ મકવાણા (ઉમર ૫૬) પ્રિયા ગોલ્ડ સીરામીક કારખાના પાસે હતા ત્યારે કોઈપણ કારણોસર તે મૃત્યુ પામતા તેના ડેડબોડીને તેનો દીકરો રાજેશભાઈ લક્ષમણભાઇ મકવાણા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરતાં એએસઆઈ જે.પી.કણસાગરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે મૃતકને બ્રેનહેમરેજ થવાથી તેનું મોત નીપજયું છે.






Latest News