મોરબી જેતપર રોડ પોલો સર્કલ પાસે પાણીના ટેન્કરે બાઈકને કચડ્યું-યુવાનનું મોત, ૧૦૮ ની ટીમે ઇજાગ્રસ્ત પાસેની મોટી રકમ પરિવારનો સુપ્રત કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના પરિવારોને જીવનોપયોગી ભેટ વાંકાનેર પાસે ચોરાઉ સી.એન.જી. રિક્ષા સાથે શખ્સ ઝબ્બે મોરબીના નગર દરવાજા ચોક પાસે ઈકો ગાડીના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત મોરબીના બગથળા ગામે ઘરના ટાંકમાં પડી ગયેલ આધેડ મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત માળીયા (મી)ની રાખોડિયા વાંઢ નજીકથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ પકડાયો મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે સ્કોર્પિયોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા તાલુકાના આઠ ગામોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ


SHARE











મોરબી અને માળીયા તાલુકાના આઠ ગામોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ

મોરબી જિલ્લામાં સતત વરસાદ પાડવાના લીધે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા હતા જેથી કરીને ઘણા ગામના ખેડૂતોને ખેતીમાં નુકશાન થયું છે ત્યારે મોરબી અને માળીયા તાલુકાના આઠ ગામોમાં પાક નિષ્ફળ ગયો છે જેથી કરીને તે ગામોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સમક્ષ માંગ કરવામાં આવી છે અને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે

મોરબી અને માળીયા તાલુકાના સરપંચના નેજા હેઠળ હાલમાં રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, સતત વરસાદના લીધે મોરબી અને માળીયા (મી.)ના અનેક ગામોમાં પાકને નુકશાન થયું છે જેમાં ગોર ખીજડીયા, રાજપર, કુંતાસી, બગથળા, માણેકવાડા, દેરાળા, જેપર, બિલિયા, માનસર સહિતના ગામના સરપંચ દ્વારા લેખિત રજૂઆત કરીને ચોમાસું પાક નિષ્ફળ ગયો છે માટે વહેલી તકે આ ગામોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News