મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામમાં મામાના ઘરે આવેલ ભાણેજનું ઝેરી જનાવર કરડી જતાં મોત


SHARE







વાંકાનેરના ભલગામમાં મામાના ઘરે આવેલ ભાણેજનું ઝેરી જનાવર કરડી જતાં મોત

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે મામાના ઘરે આવેલ ભાણેજને ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા ત્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજયું હતું જેથી આ બનાવની વાકાનેર તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે લાખાભાઈ ભરવાડની વાડીએ રહેતા ગોપાલભાઈ માનસિંગભાઈ પરમારના ઘરે તેની ભાણેજ અર્પિતા જેસિંગભાઈ સોલંકી (૩) આવી હતી અને ત્યારે રાતે તેને ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી ઝેરી અસર થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજયું હતું જેથી કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસના બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News