મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાથી બે દિવસથી ગુમ થયેલા યુવાનની મચ્છુ નદીમાથી કોહવાયેલી લાશ મળી


SHARE













મોરબીમાથી બે દિવસથી ગુમ થયેલા યુવાનની મચ્છુ નદીમાથી કોહવાયેલી લાશ મળી

મોરબીના વાવડી રોડ ઉપર મીરાપાર્ક શેરી નંબર-૨ માં મહેશ પાન વાળી શેરીમાં રહેતો યુવાન ગુમ થયો હતો જેની લાશ મોરબીની મચ્છુ નદીમાથી મળી આવી છે અને કોઈ કારણોસર તેને આપઘાત કર્યો છે જેથી તેની બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી છે અને મોરબી તાલુકા પોલીસે હાલમાં બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ મીરાપાર્ક શેરી નંબર-૨ માં રહેતા દિનેશભાઇ જીવરાજભાઈ ધોળકિયા પ્રજાપતિ કુંભાર નામનો ૪૨ વર્ષીય યુવાન ગત તા.૧૮-૮ ના રોજ સવારે સાતેક વાગ્યે નોકરીએ જવા માટે રંગપર ગામની સીમમાં આવેલ એલવી ગ્રેનાઇટોમાં ગયા હતા અને ત્યાંથી તેઓ ઘરે આવવા માટે બાઈક લઈને નીકળયા હતા દરમિયાન રસ્તામાં તેઓ ગુમ થઈ ગયા હતા અને છેલ્લા બે દિવસથી તેઓ ઘરે પરત આવ્યા ન હતા માટે તેમના પત્ની શિલ્પાબેન દિનેશભાઈ ધોળકીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને તેમના પતિ દિનેશભાઈ ગુમ થયા હોવા અંગેની જાણ કરી હતી માટે મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી હતી તેવામાં મોરબી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા પાસેથી મળતી માહિતી મુજબ મચ્છી નદીમાથી દિનેશભાઈની કહોવાય ગયેલી હાલતમાં લાશ મળી આવી છે જેથી કરીને તેની બોડીને ફોરેન્સિક માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે જો કે કોઈ કારણોસર તેને આપઘાત કર્યો છે તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે 






Latest News