માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી : હળવદ પંથકમાં સગીરાની એકલતાનો લાભ લઇ અડપલા કરી છેડતી કરનાર બે સામે ગુનો નોંધાયો


SHARE

















મોરબી : હળવદ પંથકમાં સગીરાની એકલતાનો લાભ લઇ અડપલા કરી છેડતી કરનાર બે સામે ગુનો નોંધાયો

મોરબી જીલ્લાના હળવદ તાલુકા પંથકમાં આવેલ એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા તેના ઘરે એકલી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઇને બે ઈસમો તેણીના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપીને શારિરીક અડપલા કરી સગીરાની છેડતી કરી હતી જેથી કરીને ભોગ બનેલ સગીરાએ બે સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

હળવદ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એક ગ્રામ્ય વિસ્તારની રહેવાસી સગીરા તેણીના ઘેર એકલી હતી ત્યારે હળવદ તાલુકાના જ નવા ઇસનપુર ગામના પુષ્પમ ભુપત દલવાડી અને મનસુખ જેરામ દલવાડી નામના બે ઈસમો તેણીના ઘેર ગયા હતા અને સગીરાની એકલતાનો લાભ લઇને તેણીને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા બાદ બદઈરાદે સગીરાની સાથે શારીરિક અડપલા કરી સગીરાની છેડતી કરી હતી જેથી ભોગ બનેલી સગીરાએ હળવદ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતાં પીઆઇ પી.એ.દેકાવાડીયા એ આઇપીસીની કલમ ૩૫૪(એ), ૪૫૨, ૫૦૬(૨), ૧૧૪ અને પોકસો એક્ટની કલમ ૧૨ અને ૧૭ મુજબ ગુનો દાખલ કરી હાલમાં પુષ્પમ દલવાડી અને મનસુખ દલવાડી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

છરી સાથે ત્રણ પકડાયા

મોરબી એ ડિવિઝન પોલીસ વિસ્તારની અંદર જુદી-જુદી ત્રણ જગ્યાઓએથી પોલીસ સ્ટાફે ત્રણ ઈસમોની છરી સાથે ધરપકડ કરી હતી. જેમાં શહેરના લીલાપર રોડ હોથીપીર દરગાહ પાસેથી નીકળેલા નવસાદ હુસેન વઘાડીયા સિપાઇ (૨૩) રહે.મકરાણીવાસ બ્રાહ્મણ ભોજન શાળા પાસે વાળાની છરી સાથે ધરપકડ કરવામાં આવી હતી. તે રીતે જ મોરબીના નગર દરવાજા ચોકમાં મામુજી નામની દુકાન પાસેથી નીકળેલ સતીશ ગિરીશ ચૌહાણ રજપૂત (૨૦) રહે.બાપાસીતારામ ચોક પખાલી શેરી વાળાની પણ છરી સાથે ધરપકડ કરવામાં આવી હતી.તેમજ મોરબીના કાલીકા પ્લોટ સાયન્ટીફીક રોડ મસ્તાન ચિકન નજીકથી નીકળેલ દેવાભાઈ મૂળજીભાઈ નિમાવત (૩૮) રહે.મોરબીના કાલીકા પ્લોટ સાયન્ટીફીક રોડ વાળાની પણ ધારદાર છરી સાથે ધરપકડ કરી ત્રણેય વિરૂધ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા હતા.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News