મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરનાં ઇશ્વરીયા નેશમાં દીપડાની રંજાડ હોવાથી દિવસે વીજળી આપવાની માંગ


SHARE







વાંકાનેરનાં ઇશ્વરીયા નેશમાં દીપડાની રંજાડ હોવાથી દિવસે વીજળી આપવાની માંગ

વાંકાનેર તાલુકાનાં ઇશ્વરીયા નેશ ફિડરમાં ખેતીની વિજળીનો વારો દિવસના સમયમાં આપવા માટે  ભારતીય કિસાન સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ જીલેશભાઇની આગેવાનીમાં ભારતીય કિસાન સંઘના વાંકાનેર તાલુકાનાં પ્રમુખ વાસુદેવસિંહ આર. ઝાલા અને મંત્રી મનુભાઇ ઝાલા સહિતના ખેડૂતો દ્વારા વીજ કંપનીના કાર્યપાલકને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને જણાવ્યુ છે કે, તે ગામની સીમ નજીક ફોરેસ્ટની હદ આવે છે જેથી કરીને દીપડાની રંજાળ બહુ જ હોવાથી ખેડુતને રાત્રીના સમયમાં ખેતર જવાથી દિપડાનો ડર રહે છે અને ખેડુતને જીવનું જોખમ છે જેથી કરીને ફોરેસ્ટ વાળાએ દિપડાને પકડવા માટે પાંજરું મૂક્યું હતું જો કે, દીપડો પકડાયો નથી ત્યારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ઇશ્વરીયા નેશ ફિડરમાં ખેતીની વિજળીનો વારો દિવસના સમયમાં આપવા માટે  ભારતીય કિસાન સંઘ દ્વારા માંગ કરી છે






Latest News