મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં બાર એસો. દ્વારા ઝૂલતા પૂલની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી આપવા મૌન રેલી યોજાશે


SHARE









મોરબીમાં બાર એસો. દ્વારા ઝૂલતા પૂલની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી આપવા મૌન રેલી યોજાશે

મોરબીમાં કાલે બાર એસો. દ્વારા ઝૂલતા પૂલ તૂટવાની ગોજારી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના દિવંગત આત્માને શ્રધ્ધાંજલી અને પુષ્પાંજલી આપવા માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી દુઃખદ ઘટનામાં ૧૩૫ જેટલા નિર્દોષિત લોકોના મોત થયેલ છે.અને મોરબી બાર એસો.ના તમામ વકીલઓ ઘેરા દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. અને મોરબી બાર એસો.ના તમામ વકીલઓએ હદયપુર્વક પાર્થના કરીને દરેક પરીવારને આ દુઃખદ ઘટનામાંથી બહાર આવવાની શક્તિ તથા હિંમત આપે એવી વકીલઓએ ભગવાનને પ્રાર્થના કરી છે અને સક્યુલર ઠરાવથી ઠરાવીને આ ઘટનામાં સંડોવાયેલ તમામ આરોપીઓ તરફે મોરબી વકીલ મંડળના કોઈ વકીલ મીત્રો વકીલ તરીકે રોકાશે નહી તેવુ સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ છે અને તેની તમામ વકીલોને જાણ કરવામાં આવી છે અને તા. ૩૦૧૦ ના રોજ મોરબી ઝૂલતા પૂલ તૂટવાની ગોજારી અને અત્યંત દુઃખદ દુર્ઘટનાને કારણે મૃત્યુ પામેલા લોકોના દિવંગત આત્માને શ્રધ્ધાંજલી અને પુષ્પાંજલી આપવા માટે મોરબી જિલ્લા વકીલ મંડળ તરફથી તા. ૨૧૧ ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે વિશાળ મૌન રેલી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ ખાતેથી શરૂ થઈ નવા પુલ ઉપર થઈ મહેન્દ્ર ડ્રાઈવ રોડ અને ઝૂલતા પુલ સુધી મૌન રેલી જશે તેવું મોરબી બાર એસોશીએશનના સેક્રેટરી જે. ડી. અગેચાણીયાએ જણાવ્યુ છે 






Latest News