મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સોસાયટીના ફ્લેટમાં યુવાને ભર્યું અંતિમ પગલું


SHARE









મોરબીની નીલકંઠ સોસાયટીના ફ્લેટમાં યુવાને ભર્યું અંતિમ પગલું

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં સાઈ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૪૦૧ માં રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી યુવાની કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાજસ્થાનના શ્રીરામનગર મોહલ્લા રાજગઢના રહેવાસી અને હાલમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં સાઈ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૪૦૧ માં રહેતા વિક્રમભાઈ જલેસિંગ સુંડા જાતે જાટ (૨૦) એ પોતાના ફ્લેટની અંદર પોતાની જાતે પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને યુવાનના મૃતદેહને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવવાની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે બાબતે હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

યુવાનનું મોત

મોરબી નજીકના સનાળા ગામે સુંદર પાર્કની પાછળના ભાગમાં રહેતા મેરૂભાઈ વેલજીભાઈ ચાવડા (૪૮) નામના યુવાનનું કોઈ કારણોસર મૃત્યુ થતા તેના મૃતદેહને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કરેલ અને આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ મોકલવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News