મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે પાડોશીના ખેતરમાં પાણી જતાં ખેડૂત અને તેના ભાભી ઉપર ચાર શખ્સોએ કર્યો છોરીયા વડે હુમલો


SHARE





હળવદના ચરાડવા ગામે પાડોશીના ખેતરમાં પાણી જતાં ખેડૂત અને તેના ભાભી ઉપર ચાર શખ્સોએ કર્યો છોરીયા વડે હુમલો

હળવદ તાલુકાના ચરડવા ગામે ખેડૂતના ખેતરમાંથી નીકળેલ પાણી પાડોશી ખેડૂતના ખેતરમાં જતા તે બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ગાળો આપને સોરીયા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ઈજા પામેલ ખેડૂત અને તેના ભાભીને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ચરડવા ગામે ગુરુકુળની પાછળના ભાગમાં રહેતા પ્રવીણભાઈ પ્રભુભાઈ સોનગ્રા જાતે દલવાડી (૩૫) એ હાલમાં ગોપાલભાઈ ઉકાભાઇ દલવાડી, ઉકાભાઇ ગંગારામભાઈ દલવાડી, કેશવજીભાઈ નરશીભાઈ દલવાડી અને મોતીલાલ નરશીભાઈ દલવાડી રહે. બધા ચરાડવા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓનું ખેતર આરોપી ગોપાલભાઈ ઉકાભાઇના ખેતરની બાજુમાં આવેલ છે અને તેના ખેતરનું પાણી આરોપી ગોપાલભાઈના ખેતરમાં જતા તેને સારું લાગ્યું ન હતું અને તે બાબતે આરોપીઓએ પ્રવીણભાઈને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કેશવજી નરશીભાઈ, ઉકાભાઇ ગંગારામભાઈ અને ગોપાલભાઈએ સોરીયા વડે પ્રવીણભાઈ તથા અનસોયાબેન ઉપર હુમલો કર્યો હતો અને તેઓને માર મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત પ્રવીણભાઈ અને તેના ભાભી અનસુયાબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ પ્રવીણભાઈ સોનાગ્રાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News