મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે પાડોશીના ખેતરમાં પાણી જતાં ખેડૂત અને તેના ભાભી ઉપર ચાર શખ્સોએ કર્યો છોરીયા વડે હુમલો


SHARE













હળવદના ચરાડવા ગામે પાડોશીના ખેતરમાં પાણી જતાં ખેડૂત અને તેના ભાભી ઉપર ચાર શખ્સોએ કર્યો છોરીયા વડે હુમલો

હળવદ તાલુકાના ચરડવા ગામે ખેડૂતના ખેતરમાંથી નીકળેલ પાણી પાડોશી ખેડૂતના ખેતરમાં જતા તે બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ગાળો આપને સોરીયા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ઈજા પામેલ ખેડૂત અને તેના ભાભીને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ચરડવા ગામે ગુરુકુળની પાછળના ભાગમાં રહેતા પ્રવીણભાઈ પ્રભુભાઈ સોનગ્રા જાતે દલવાડી (૩૫) એ હાલમાં ગોપાલભાઈ ઉકાભાઇ દલવાડી, ઉકાભાઇ ગંગારામભાઈ દલવાડી, કેશવજીભાઈ નરશીભાઈ દલવાડી અને મોતીલાલ નરશીભાઈ દલવાડી રહે. બધા ચરાડવા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓનું ખેતર આરોપી ગોપાલભાઈ ઉકાભાઇના ખેતરની બાજુમાં આવેલ છે અને તેના ખેતરનું પાણી આરોપી ગોપાલભાઈના ખેતરમાં જતા તેને સારું લાગ્યું ન હતું અને તે બાબતે આરોપીઓએ પ્રવીણભાઈને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કેશવજી નરશીભાઈ, ઉકાભાઇ ગંગારામભાઈ અને ગોપાલભાઈએ સોરીયા વડે પ્રવીણભાઈ તથા અનસોયાબેન ઉપર હુમલો કર્યો હતો અને તેઓને માર મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત પ્રવીણભાઈ અને તેના ભાભી અનસુયાબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ પ્રવીણભાઈ સોનાગ્રાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.








Latest News