મોરબીના રણછોડનગરમાં જુગાર રમતી પાંચ મહીલા સાથે અગીયાર પકડાયા
મોરબીના રવાપર ગામે દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત
SHARE








મોરબીના રવાપર ગામે દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત
મોરબીના રવાપર ગામે બોનીપાર્ક વિસ્તારમાં રહેતી મહિલા રસોઈ બનાવતા સમયે દાઝી ગયા હતા જેથી મોરબી બાદ રાજકોટ લઇ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજયું હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર વિસ્તારમાં બોનીપાર્કમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા જશુબેન ઉર્ફે જ્યોત્સનાબેન મહેશભાઈ પાડલીયા નામના ૫૭ વર્ષીય મહિલા ગઈકાલે તા.૨૬-૮ મા સવારના દશેક વાગ્યાના અરસામાં રસોઈ બનાવતા સમયે દાઝી ગયા હતા જેથી તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં ગઈકાલે જ બપોરે ચારેક વાગ્યાના અરસામાં તેમનું મોત નિપજ્યું હતું. જશુબેન ઉર્ફે જોત્સનાબેન મહેશભાઈ પાડલીયા (૫૭) નું મોત નિપજતા બનાવ અંગે નોંધ કરીને હાલ એ ડિવિઝન પોલીસ મથકના જે.એ.ઝાલાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
યુવાન રાજકોટ ખસેડાયો
મોરબીના ટંકારા તાલુકાના લજાઇ ગામે લક્ષ્મણભાઈ મૂળજીભાઈની વાડી રહીને મજૂરીનું કામ કરતાં મુકેશભાઈ મંગળભાઈ આદિવાસી નામના ૪૫ વર્ષના યુવાનને ગત મોડીરાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ઝેરી સાપ કરડી જતા તેઓને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપીને હાલત નાજુક જણાતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
