મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના નવાપરા પાસે ઇકો કારના ચાલકે હડફેટે લેતા રાહદારી આધેડનું મોત


SHARE













વાંકાનેરના નવાપરા પાસે ઇકો કારના ચાલકે હડફેટે લેતા રાહદારી આધેડનું મોત  

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે ઉપર નવાપરા પાસેથી પસાર થતા આધેડ રોડ ક્રોસ કરતા હતા ત્યારે ઇકો કારના ચાલકે તેને હડફેટે લીધા હતા જેથી કરીને તેને માથામાં ગંભીર ઇજા થયેલ હતી અને આધાડનું મોત નીપજયું હતું જેથી અકસ્માત સર્જીને નાદધિ ગયેલા ઇકો કારના ચાલકની સામે હાલમાં મૃતક આધેડના પત્નીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વાહન ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણમાં મળતી માહિતી મુજબ વાંકાનેરમાં સિદ્ધાર્થનગર રેલવે સ્ટેશન પાસે રહેતા મૂળ યુપીના રહેવાથી આશાબેન શુભાનારાયણ શર્મા (૪૮) એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓના પતિ સુભાનારાયણ તિલકેશ્વર શર્મા (ઉંમર ૫૦) પગપાળા ચાલીને નવાપરા પાસેથી પસાર થતા હતા ત્યારે ઇકો કાર નંબર જીજે ૩૮ બીબી ૨૭૦૮ ના ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને ફરિયાદીના પતિ રસ્તા ઉપર પટકાતા તેને માથા અને શરીરે ઇજાઓ થઈ હતી જેના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ઇકો કારનો ચાલક ઘટના સ્થળ પરથી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. હાલમાં મૃતકની પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇકો કારના ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News