હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં માથાના ભાગે ડેલો પડતા ઇજાગ્રસ્ત બાળકી રાજકોટ ખસેડાઇ


SHARE





મોરબીમાં માથાના ભાગે ડેલો પડતા ઇજાગ્રસ્ત બાળકી રાજકોટ ખસેડાઇ

મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ આવેલ ખાડા વિસ્તારમાં રહેતા ભાડાના મકાનમાં રહેતા પરિવારની બાળકી ઘર પાસે રમી રહી હતી ત્યારે ઘરનો ડેલો (દરવાજો) માથા ઉપર પડતા ઇજા પામેલ બાળકીને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રેલ્વે સ્ટેશન પાછળના વિસ્તારમાં રહેતા પરીવારની ભાવના રાજેન્દ્રભાઈ રાવત નામની આઠ વર્ષની બાળકી ઘર નજીક રમી રહી હતી ત્યારે તેણીના માથા ઉપર ડેલો (દરવાજો) પડ્યો હતો.જેથી ઇજાગ્રસ્ત હાલતમાં ભાવનાને અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ હોય આ અંગે બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે વાંકાનેર હાઇવે ઢુવા ગામની પાસે આવેલ પ્લાઝમા સીરામીક નજીક રહેતા ગૌતમ ઈશ્વરદિન સોનુ નામનો ૨૮ વર્ષનો યુવાન જેતપર રોડ ઉપર આવેલ મનીષ કાંટા પાસે હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના શકત શનાળા ગામે રહેતા ઉમેશ કિશોરભાઈ ગુપ્તા નામના ૪૫ વર્ષના યુવાનનો તા.૧-૧૧ ના રોજ વાહન અકસ્માત થવાથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન અમદાવાદ ખાતે ઉમેશ ગુપ્તા નામના યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યાંથી યાદી આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા નસીમબેન હુસેનભાઈ ચાવડા નામની ૩૦ વર્ષની મહિલાને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા દ્વારા આ અંગે તપાસ ચલાવામાં આવી રહી છે. જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતો સંદીપ બેચરભાઈ ચાંઉ નામનો યુવાન પોતાનું બાઈક લઈને ઘરેથી પરશુરામ ફાટક તરફ જતો હતો ત્યારે રસ્તામાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.




Latest News