મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ મોરબી સિવિલ કોર્ટના ચેક રીટર્ન કેશમાં આરોપીને નિર્દોષ છોડવતા વકીલ નિકુંજભાઈ કોટક મોરબી RTO દ્વારા ટુ-ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે હરાજી કરાશે મોરબી આઈ.સી.ડી.એસ. ઘટક-૨ દ્વારા મહિલાઓમાં કેન્સર જાગૃતિ અર્થે શાશ્વત હોસ્પિટલ ખાતે સેમિનાર યોજાયો ટંકારાના કલ્યાણપર ખાતે આઈ.સી.ડી.એસ. ઘટક દ્વારા નારી સંમેલન યોજાયો મોરબી જિલ્લામાં દાડમની ખેતી માટે સરકારે ૬૧૮ બાગાયતદાર ખેડૂતોને કરી ૧૬૭.૯૨ લાખની સહાય મોરબી: સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના કોઠી ગામે માલિકીના પ્લોટમાં પાર્ક કરેલ જેસીબીને લઈ લેવાનું કહેતા આધેડને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE







વાંકાનેરના કોઠી ગામે માલિકીના પ્લોટમાં પાર્ક કરેલ જેસીબીને લઈ લેવાનું કહેતા આધેડને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના કોઠી ગામે બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં આવેલ માલિકીના પ્લોટમાં જેસીબી પાર્ક કરીને રાખ્યું હતું જેથી જેસીબી ત્યાંથી લઈ લેવા માટે કહ્યું હતું જે સારું ન લાગવાથી ત્રણ શખ્સો દ્વારા આધેડને લાકડી અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામે રહેતા ઈકબાલભાઈ જમાલભાઈ પીપરવાડિયા જાતે પીંજારા (ઉંમર ૫૩) એ હાલમાં સત્તાભાઈ લાખાભાઈ ભરવાડ, નવઘણભાઈ સતાભાઇ ભરવાડ અને સત્તાભાઈ ભરવાડનો દીકરો રહે. બધા કોઠી ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, કોઠી ગામના બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં તેનો પ્લોટ આવેલ છે અને તે પ્લોટમાં આરોપીઓએ તેનું જેસીબી મશીન મૂક્યું હતું જે જેસીબી મશીન લઈ લેવા માટે તેને કહેતા આરોપીઓને તે સારું લાગ્યું ન હતું અને ગાળો આપવા લાગ્યા હતા અને ત્યારબાદ સત્તાભાઈ લાખાભાઈ ભરવાડએ ફરિયાદીને કાન અને વાસાના ભાગે લાકડી વડે માર માર્યો હતો અને નવઘણભાઈ ભરવાડે તેને લોખંડના પાઇપ વડે પગમાં માર માર્યો હતો અને આ ઉપરાંત ત્રણેય આરોપીઓએ ભેગા મળીને ઢીકા પાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News