મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના કોઠી ગામે માલિકીના પ્લોટમાં પાર્ક કરેલ જેસીબીને લઈ લેવાનું કહેતા આધેડને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરના કોઠી ગામે માલિકીના પ્લોટમાં પાર્ક કરેલ જેસીબીને લઈ લેવાનું કહેતા આધેડને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના કોઠી ગામે બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં આવેલ માલિકીના પ્લોટમાં જેસીબી પાર્ક કરીને રાખ્યું હતું જેથી જેસીબી ત્યાંથી લઈ લેવા માટે કહ્યું હતું જે સારું ન લાગવાથી ત્રણ શખ્સો દ્વારા આધેડને લાકડી અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામે રહેતા ઈકબાલભાઈ જમાલભાઈ પીપરવાડિયા જાતે પીંજારા (ઉંમર ૫૩) એ હાલમાં સત્તાભાઈ લાખાભાઈ ભરવાડ, નવઘણભાઈ સતાભાઇ ભરવાડ અને સત્તાભાઈ ભરવાડનો દીકરો રહે. બધા કોઠી ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, કોઠી ગામના બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં તેનો પ્લોટ આવેલ છે અને તે પ્લોટમાં આરોપીઓએ તેનું જેસીબી મશીન મૂક્યું હતું જે જેસીબી મશીન લઈ લેવા માટે તેને કહેતા આરોપીઓને તે સારું લાગ્યું ન હતું અને ગાળો આપવા લાગ્યા હતા અને ત્યારબાદ સત્તાભાઈ લાખાભાઈ ભરવાડએ ફરિયાદીને કાન અને વાસાના ભાગે લાકડી વડે માર માર્યો હતો અને નવઘણભાઈ ભરવાડે તેને લોખંડના પાઇપ વડે પગમાં માર માર્યો હતો અને આ ઉપરાંત ત્રણેય આરોપીઓએ ભેગા મળીને ઢીકા પાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News