હળવદમાં કાલે પ્રકાશ વરમોરાના સમર્થનમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથની સભા
SHARE
હળવદમાં કાલે પ્રકાશ વરમોરાના સમર્થનમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથની સભા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે તેના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ વધુ એક વખત મોરબી જીલ્લામાં આવી રહ્યા છે અને કાલે બુધવારે ધ્રાંગધ્રા-હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં ધ્રાંગધ્રા-માળિયા હાઇવે ઉપર સભા રાખવામા આવી છે જે સભાને યુપીને સીએમ ગજાવવાના છે.
ધ્રાંગધ્રા-હળવદ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા ભાજપના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરોની સાથે પ્રચાર કરી રહ્યા છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ મોરબી જિલ્લાના હળવદમાં આવી રહ્યા છે અને બુધવારે હરીદર્શન પાર્ક હોટલ હરીદર્શનની બાજુના ગ્રાઉન્ડમાં ધાંગધ્રા માળિયા હાઇવે હળવદ ખાતે સાંજે ચાર વાગ્યે પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં તેઓ સભાને સંબોધવાના છે અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસો પહેલા સીએમ યોગી આદિત્યનાથ મોરબી જિલ્લાના વાંકાનેરમાં ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીના સમર્થનમાં સભાને સંબોધવા માટે આવ્યા હતા ત્યારે મોરબી જીલ્લામાં સીએમ યોગી આદિત્યનાથનો જાદુ ચાલી જશે તો ચારેય બેઠક ઉપર કમળ ખીલશે તે નિશ્ચિત છ