મોરબીમાં સમગ્ર શિયાળા દરમ્યાન થનાર આરોગ્યવર્ધક ઉકાળા કેન્દ્રનો પ્રારંભ
SHARE
મોરબીમાં સમગ્ર શિયાળા દરમ્યાન થનાર આરોગ્યવર્ધક ઉકાળા કેન્દ્રનો પ્રારંભ
મોરબીના સેવાભાવી વૈદરાજ કિશોરભાઈ વાંણદ દ્રારા તેમના માતૃ શ્રી સ્વ. જયાબેન મુળજીભાઈ દશાડિયાના સ્મરાર્ણથે તા.૨૬-૧૧ થી ૨૬-૨ સુધી સવારે ૭ થી ૮ વિજય હેર ડ્રેસર, વંસત પ્લોટ, ચકિયા હનુમાન મંદીર સામે, રવાપર રોડ, મોરબી ખાતે આરોગ્ય વર્ધક ઉકાળાનું વિનામુલ્ય વિતરણ કરવામાં આવશે.
આ ઉકાળાને દિવ્ય વનસ્પતિમાંથી બનાવવામાં આવેલ છે.આ ઉકાળો ચિકન ગુનીયા, ડેન્યુ, જુની શરદી, તથા તાવ, કોરોના જેવા અસાદય રોગો માટે રામ બાણ ઈલાજ હોય તેથી જાહેર જનતાને લાભ લેવા વૈદરાજ કિશોરભાઈ એમ. દશાડિયા (મો. નંબર ૯૬૨૪૦ ૧૨૪૭૪) દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે.
અયોધ્યાપુરી રોડ ખાતે બુધવારે શ્રી મામા સાહેબનું મોજીલું માંડલું યોજાશે
મોરબીમાં ધર્મેશભાઈ રાવળદેવ-રાજકોટ વાળા સહીતના ડાકનાં માણીગરોની ઉપસ્થિતીમાં કાર્યક્રમનું અનેરૂ આયોજન કરાયેલ છે.મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ મંદિર પાસે બિરાજમાન મસ્તાના મામાદેવનુ મોજીલું માંડલું કાર્યક્રમ કાલે તા.૨૩ ને બુધવારના રોજ રાત્રે ૯ કલાકે યોજાશે. કાર્યક્રમમાં ડાકના માણીગર ધર્મેશભાઈ રાવળદેવ (રાજકોટ) સહીતનાં કલાકારો ડાકની રમઝટ બોલાવશે.આ કાર્યક્રમમાં શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજકો દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.