હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

હળવદ ધાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને જન સમર્થન આપવા યોગી આદિત્યનાથની મતદારોને અપીલ


SHARE





હળવદ ધાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને જન સમર્થન આપવા યોગી આદિત્યનાથની મતદારોને અપીલ

મોરબી જિલ્લાના હળવદમાં આજે યુપીના સીએમ યોગી આદિત્યનાથની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા ના સમર્થનમાં આ સભા રાખવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હળવદ પંથકના લોકો હાજર રહ્યા હતા અને ખાસ કરીને મોરબીમાં જુલતોપુલ તુટી પડવાની દુર્ઘટના બની હતી તેને યોગી આદિત્યનાથે યાદ કરી હતી અને દુઃખદ ઘટના ગણાવીને સંવેદનશીલ સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોરબી વાસીઓની પડખે તાત્કાલિક ઉભા રહ્યા હતા તેવી લાગણી વ્યક્ત કરી હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય પક્ષો દ્વારા તેના ઉમેદવારના વિજય માટે સભાઓ ગજવામાં આવી રહી છે જેના ભાગરૂપે હળવદ ધાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં આજે હળવદમાં હરિ દર્શન હોટલની બાજુના ગ્રાઉન્ડમાં યુપીના સીએમ અને બુલડોઝર બાબાના નામથી જાણીતા યોગી આદિત્યનાથની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને યોગી આદિત્યનાથનું આગમન થયું ત્યારે જય શ્રી રામ, વંદે માતરમ અને ભારત માતા કી જય ના નારા લગાવીને લોકોએ તેનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ તલવાર આપીને તેનું સન્માન હળવદ ધાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા સહિતનાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

આ સભાનું સંબોધન કરતા યોગી આદિત્યનાથે સૌપ્રથમ મોરબીમાં બનેલ ઝુલતાપુલ તૂટી પડવાની દુર્ઘટનાને યાદ કરીને દુઃખદ ઘટના હોવાનું તેમણે જણાવ્યું હતું અને ખાસ કરીને સંવેદનશીલ સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાત્કાલિક મોરબી વાસીઓની પડખે ઉભા રહ્યા હતા અને આ દુર્ઘટનામાં ઇજા પામેલા લોકો તેમજ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોની તેઓએ મુલાકાત કરી હતી વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે તાજેતરમાં જ્યારે યુપીની ચૂંટણી યોજાઈ તેમાં કોંગ્રેસને 304 બેઠકોમાંથી માત્ર બે જ બેઠકો કોંગ્રેસને આવી છે આમ ભાજપને તેમજ તેની વિકાસયાત્રાને ઠેર ઠેર આવકારવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસને વોટ શા માટે આપવાનો તેવો સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે લોકોએ પણ ભાજપ તરફથી કચકચાવીને મતદાન કરવા માટેનો કોલ આપેલ છે

અંતમાં યોગી આદિત્યનાથે હળવદ ધાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને વિજય અપાવીને ભાજપને સમર્થન આપવા માટે સભામાં આવેલા લોકોને અપીલ કરી હતી ત્યારે લોકોએ પણ બે હાથ ઊંચા કરીને ભાજપને ખુલ્લું સમર્થન કર્યું હતું આ તકે સંતો મહંતો તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના હળવદ તાલુકા અને મોરબી જિલ્લાના ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા




Latest News