મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

હળવદ ધાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને જન સમર્થન આપવા યોગી આદિત્યનાથની મતદારોને અપીલ


SHARE











હળવદ ધાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને જન સમર્થન આપવા યોગી આદિત્યનાથની મતદારોને અપીલ

મોરબી જિલ્લાના હળવદમાં આજે યુપીના સીએમ યોગી આદિત્યનાથની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા ના સમર્થનમાં આ સભા રાખવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હળવદ પંથકના લોકો હાજર રહ્યા હતા અને ખાસ કરીને મોરબીમાં જુલતોપુલ તુટી પડવાની દુર્ઘટના બની હતી તેને યોગી આદિત્યનાથે યાદ કરી હતી અને દુઃખદ ઘટના ગણાવીને સંવેદનશીલ સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોરબી વાસીઓની પડખે તાત્કાલિક ઉભા રહ્યા હતા તેવી લાગણી વ્યક્ત કરી હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય પક્ષો દ્વારા તેના ઉમેદવારના વિજય માટે સભાઓ ગજવામાં આવી રહી છે જેના ભાગરૂપે હળવદ ધાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં આજે હળવદમાં હરિ દર્શન હોટલની બાજુના ગ્રાઉન્ડમાં યુપીના સીએમ અને બુલડોઝર બાબાના નામથી જાણીતા યોગી આદિત્યનાથની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને યોગી આદિત્યનાથનું આગમન થયું ત્યારે જય શ્રી રામ, વંદે માતરમ અને ભારત માતા કી જય ના નારા લગાવીને લોકોએ તેનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ તલવાર આપીને તેનું સન્માન હળવદ ધાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા સહિતનાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

આ સભાનું સંબોધન કરતા યોગી આદિત્યનાથે સૌપ્રથમ મોરબીમાં બનેલ ઝુલતાપુલ તૂટી પડવાની દુર્ઘટનાને યાદ કરીને દુઃખદ ઘટના હોવાનું તેમણે જણાવ્યું હતું અને ખાસ કરીને સંવેદનશીલ સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાત્કાલિક મોરબી વાસીઓની પડખે ઉભા રહ્યા હતા અને આ દુર્ઘટનામાં ઇજા પામેલા લોકો તેમજ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોની તેઓએ મુલાકાત કરી હતી વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે તાજેતરમાં જ્યારે યુપીની ચૂંટણી યોજાઈ તેમાં કોંગ્રેસને 304 બેઠકોમાંથી માત્ર બે જ બેઠકો કોંગ્રેસને આવી છે આમ ભાજપને તેમજ તેની વિકાસયાત્રાને ઠેર ઠેર આવકારવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસને વોટ શા માટે આપવાનો તેવો સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે લોકોએ પણ ભાજપ તરફથી કચકચાવીને મતદાન કરવા માટેનો કોલ આપેલ છે

અંતમાં યોગી આદિત્યનાથે હળવદ ધાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને વિજય અપાવીને ભાજપને સમર્થન આપવા માટે સભામાં આવેલા લોકોને અપીલ કરી હતી ત્યારે લોકોએ પણ બે હાથ ઊંચા કરીને ભાજપને ખુલ્લું સમર્થન કર્યું હતું આ તકે સંતો મહંતો તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના હળવદ તાલુકા અને મોરબી જિલ્લાના ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા






Latest News