મોરબી મહાપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર જાહેરમાં મૃત ગૌ વંશોને ફેંકવા મામલે મેયરને જાહેરમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ તતડવી નાખ્યા: એક કર્મચારીને તાત્કાલિક પાણીચું મોરબીમાં બેંકની લોન ભરપાઈ કરનારા ગ્રાહકના મકાનો દસ્તાવેજ બેંકે ખોઈ નાખ્યો !, ગ્રાહક કોર્ટે આપ્યો મહાવપૂર્ણ ચુકાદો મોરબી શહેરમાં NAKSHA પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ લેન્ડ રેકોર્ડ આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પહેલ મોરબી જીલ્લામાં આગામી શનિવારે લોક અદાલતનું આયોજન મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ મોરબી સિવિલ કોર્ટના ચેક રીટર્ન કેશમાં આરોપીને નિર્દોષ છોડવતા વકીલ નિકુંજભાઈ કોટક મોરબી RTO દ્વારા ટુ-ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે હરાજી કરાશે મોરબી આઈ.સી.ડી.એસ. ઘટક-૨ દ્વારા મહિલાઓમાં કેન્સર જાગૃતિ અર્થે શાશ્વત હોસ્પિટલ ખાતે સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી ઝુલતો પુલ અને તેની કેટલીય દાસ્તા : માનવીય દુર્ઘટનામાં ભોગ બનેલ બાળકીનો જન્મદિવસે ઉજવાયો


SHARE







મોરબી ઝુલતો પુલ અને તેની કેટલીય દાસ્તા : માનવીય દુર્ઘટનામાં ભોગ બનેલ બાળકીનો જન્મદિવસે ઉજવાયો

મોરબીની ગોઝારી ઝુલતા પુલ દુર્ઘટના કે જે એક માનવીય બેદરકારીની ઘટના હતી અને તેમાં અનેક લોકોએ જે જીવ ગુમાવ્યા તેને લઈને દરેકની એક અલગ સ્ટોરી થાય તેવી બીના છે.તેવી જ એક વાત મોરબીમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જોવા મળી હતી કે જ્યાં એક જ પરિવારના નાની વયના દીકરો-દીકરી આ ઘટનામાં અવસાન પામ્યા હતા અને તે પૈકી દીકરીનો આજે જન્મદિવસ હોય તે વિસ્તારના લોકો દ્વારા બાળકીના ફોટા સામે કેન્ડલ પ્રગટાવીને તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને નાના બાળકોને બટુક ભોજન કરાવી બાળકીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા દર્શનભાઈ જોગિયાણીની દીકરી માહી (ઉમર ૭) અને ભાવેશ (ઉંમર ૪) એમ બંનેના ઉપરોક્ત ઘટનામાં મોત થયા હતા તે પૈકી માહીનો આજે તા.૨૩ ના જન્મદિવસ હોય જોટાણીયા પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તે વિસ્તારના રહેવાસીઓએ બાળકીને તસ્વીર સામે કેન્ડલ પ્રગટાવીને તેમજ ફૂલ અર્પણ કરી બાળકીને શ્રદ્ધાંજલિ આપી હતી અને બાદમાં તે વિસ્તારના બાળકોને સમૂહ બટુક ભોજન કરાવી સ્વર્ગસ્થતા બાળકીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.






Latest News