મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી ઝુલતો પુલ અને તેની કેટલીય દાસ્તા : માનવીય દુર્ઘટનામાં ભોગ બનેલ બાળકીનો જન્મદિવસે ઉજવાયો


SHARE













મોરબી ઝુલતો પુલ અને તેની કેટલીય દાસ્તા : માનવીય દુર્ઘટનામાં ભોગ બનેલ બાળકીનો જન્મદિવસે ઉજવાયો

મોરબીની ગોઝારી ઝુલતા પુલ દુર્ઘટના કે જે એક માનવીય બેદરકારીની ઘટના હતી અને તેમાં અનેક લોકોએ જે જીવ ગુમાવ્યા તેને લઈને દરેકની એક અલગ સ્ટોરી થાય તેવી બીના છે.તેવી જ એક વાત મોરબીમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જોવા મળી હતી કે જ્યાં એક જ પરિવારના નાની વયના દીકરો-દીકરી આ ઘટનામાં અવસાન પામ્યા હતા અને તે પૈકી દીકરીનો આજે જન્મદિવસ હોય તે વિસ્તારના લોકો દ્વારા બાળકીના ફોટા સામે કેન્ડલ પ્રગટાવીને તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને નાના બાળકોને બટુક ભોજન કરાવી બાળકીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા દર્શનભાઈ જોગિયાણીની દીકરી માહી (ઉમર ૭) અને ભાવેશ (ઉંમર ૪) એમ બંનેના ઉપરોક્ત ઘટનામાં મોત થયા હતા તે પૈકી માહીનો આજે તા.૨૩ ના જન્મદિવસ હોય જોટાણીયા પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તે વિસ્તારના રહેવાસીઓએ બાળકીને તસ્વીર સામે કેન્ડલ પ્રગટાવીને તેમજ ફૂલ અર્પણ કરી બાળકીને શ્રદ્ધાંજલિ આપી હતી અને બાદમાં તે વિસ્તારના બાળકોને સમૂહ બટુક ભોજન કરાવી સ્વર્ગસ્થતા બાળકીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.






Latest News