મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામે બે દિવસ સાંઢળા દાડા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે


SHARE













ટંકારાના સરાયા ગામે બે દિવસ સાંઢળા દાડા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે


ટંકારાના સરાયા ગામે બનાવાયેલ સાંઢળા દાડા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.૨૪-૨૫ નવેમ્બરના રોજ યોજાવાનો છે જેમા ૧૧ કુંડી મહાયજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે.ટંકારાના સ્લોગન પરિવાર દ્વારા ટંકારાના સરાયા ગામે સરાયાના નેસડા રોડ ઉપર બનાવાયેલા સાંઢળા દાડા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ૧૧ કુંડી મહાયજ્ઞ તા.૨૪ અને ૨૫ નવેમ્બર યોજાશે.તા.૨૪ ના રોજ સવારે ૮ કલાકથી દેહશુદ્ધિ, ગણપતિ પૂજન, પુણ્યાહ વાચન, સ્થાપિત દેવ પૂજન, ગ્રહશાંતિ, જલયાત્રા, પ્રસાદ, વાસ્તુ બાદ સાંજે ૪ કલાકે શોભાયાત્રા, કુટીર હોમ અને ધાન્યાદિવાસ યોજવામાં આવશે બાદમાં સરાયા ખાતે સ્લોગન પોલીપેક પ્રા.લી. ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જ્યારે રાત્રે ૮:૩૦ કલાકે ભનજ સંધ્યામાં ભજનીક અલ્પાબેન પટેલ અને હાસ્ય કલાકાર હિતેશભાઈ અંટાળા રમઝટ બોલાવશે. યજ્ઞમાં આચાર્ય પદે શાસ્ત્રી પ્રશાંતભાઈ (મોરબી) બીરાજશે.

ધ્રુવનગર ખાતે જીવામામાનો માંડવો

ટંકારાના ધ્રુવનગર ખાતે તા.૨૪ ના રોજ જીવામામાના મંદિરના લાભાર્થે નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવેલ છે.જીવામામા મિત્રમંડળ દ્વારા આયોજિત આ નવરંગા માંડવામાં તા.૨૪ નવેમ્બરના રોજ સવારે ૯ કલાકે મામાદેવનું પૂજન થશે. સાંજે ૬ કલાકે ધ્રુવનગર ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. અને રાત્રે ૯ કલાકે ડાક ડમરનો કાર્યક્રમ યોજાશે.






Latest News