મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારામાં ત્રણ દિવસથી ગુમ યુવાનની લાશ અમરાપર રોડ ઉપર આવેલ વાડીના કુવામાંથી મળી


SHARE











ટંકારામાં ત્રણ દિવસથી ગુમ યુવાનની લાશ અમરાપર રોડ ઉપર આવેલ વાડીના કુવામાંથી મળી

ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ વાડીમાં આવેલ કુવામાં યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ત્યાં જ મોત નીપજતા મૃતક યુવાનના ડેડબોડીને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને બાદમાં ફોરેન્સાક પીએમ માટે મૃતદેહને રાજકોટ ખસેડાયો હતો. આ બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત મુજબ ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ સીરાજભાઈ ઈબ્રાહીમભાઇ અબ્રાણીની વાડીએ આવેલ કુવામાં કોઈ કારણોસર અજય નીતિનભાઈ વાઘેલા (ઉંમર વર્ષ 25) રહે. ઉગમણા નાકા ટંકારા વાળો પાણીમાં પડી જવાથી ડૂબી ગયો હતો અને ઘટના સ્થળે જ તે યુવાનનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ કુવાના પાણીમાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢીને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુમ થયેલ યુવાન છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયો હતો અને જાણવા મળ્યા મુજબ તેને પગના ભાગે સળિયા ફીટ કરેલા હોય અને તે સેન્ટીંગની મજુરીનું કામ કરતો હતો પણ તે મજુરી કામ તે કરી શકતો ન હોય અન્ય મજૂરી કામ શોધવા માટે જાવ છું તેમ કહીને તે ઘરેથી નીકળ્યો હતો. મૃતક અજય વાઘેલા બે ભાઈમાં મોટો અને અપરણિત હતો. દરમિયાનમાં કયા કારણોસર તેણે ઉપરોક્ત પગલું ભર્યું..? કે કોઈ અકસ્માત બનાવ બન્યો છે..? એ દિશામાં ટંકારા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News