હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારામાં ત્રણ દિવસથી ગુમ યુવાનની લાશ અમરાપર રોડ ઉપર આવેલ વાડીના કુવામાંથી મળી


SHARE





ટંકારામાં ત્રણ દિવસથી ગુમ યુવાનની લાશ અમરાપર રોડ ઉપર આવેલ વાડીના કુવામાંથી મળી

ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ વાડીમાં આવેલ કુવામાં યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ત્યાં જ મોત નીપજતા મૃતક યુવાનના ડેડબોડીને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને બાદમાં ફોરેન્સાક પીએમ માટે મૃતદેહને રાજકોટ ખસેડાયો હતો. આ બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત મુજબ ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ સીરાજભાઈ ઈબ્રાહીમભાઇ અબ્રાણીની વાડીએ આવેલ કુવામાં કોઈ કારણોસર અજય નીતિનભાઈ વાઘેલા (ઉંમર વર્ષ 25) રહે. ઉગમણા નાકા ટંકારા વાળો પાણીમાં પડી જવાથી ડૂબી ગયો હતો અને ઘટના સ્થળે જ તે યુવાનનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ કુવાના પાણીમાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢીને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુમ થયેલ યુવાન છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયો હતો અને જાણવા મળ્યા મુજબ તેને પગના ભાગે સળિયા ફીટ કરેલા હોય અને તે સેન્ટીંગની મજુરીનું કામ કરતો હતો પણ તે મજુરી કામ તે કરી શકતો ન હોય અન્ય મજૂરી કામ શોધવા માટે જાવ છું તેમ કહીને તે ઘરેથી નીકળ્યો હતો. મૃતક અજય વાઘેલા બે ભાઈમાં મોટો અને અપરણિત હતો. દરમિયાનમાં કયા કારણોસર તેણે ઉપરોક્ત પગલું ભર્યું..? કે કોઈ અકસ્માત બનાવ બન્યો છે..? એ દિશામાં ટંકારા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.




Latest News