મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના માળિયા ફાટકથી ત્રાજપર ચોકડી વચ્ચે યુવાન ઉપર છરી વડે હુમલો કરી મોબાઈલ અને રોકડની લૂંટ ; યુવાન રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીના માળિયા ફાટકથી ત્રાજપર ચોકડી વચ્ચે યુવાન ઉપર છરી વડે હુમલો કરી મોબાઈલ અને રોકડની લૂંટ ; યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા માળિયા ફાટકથી ત્રાજપર ચોકડી વચ્ચેના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલા આદિવાસી મજૂર યુવાનને અટકાવીને તેને પેટ અને સાથળના ભાગે છરી જીંકીને તેની પાસે રહેલ રૂપિયા ૧૨ હજારની કિંમતના મોબાઈલ અને રોકડા રૂા.૨૦૦ ની લૂંટ ચલાવવામાં આવી હોય ઇજાગ્રાસ્ત યુવાને રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

લૂંટના ઉપરોક્ત બનાવની જાણવા મળતી વિગતો મુજબ મુળ એમપીના જાંબુવા જીલ્લાના વતની અને હાલ મોરબીના સામાકાંઠે જેતપર-પીપળી રોડ ઉપર આવેલ સત્યમ પાર્ક વિસ્તારમાં રહેતો તોલસિંગ મગનભાઈ ભુરીયા જાતે આદિવાસી નામનો ૨૯ વર્ષનો યુવાન મોરબીના સામાકાંઠે બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા માળિયા ફાટકથી ત્રાજપર ચોકડી તરફ જતા સર્વિસ રોડ ઉપરથી જતો હતો ત્યારે ત્રણ અજાણ્યા ઈસમોએ તેને અટકાવીને તેના પેટ અને સાથળના ભાગે છરી જીંકી દીધી હતી અને તોલસીંગ ભુરીયાની પાસે રહેલ રૂપિયા ૧૨ હજારની કિંમતના મોબાઇલની તેમજ તેના પાસે રહેલ રોકડા રૂા.૨૦૦ ની લૂંટ ચલાવવામાં આવી હોવાનું ભોગ બનેલ તોલસિંગ ભુરીયાએ રાજકોટ હોસ્પિટલના બીછાનેથી કેફિયત આપી હતી.વધુમાં મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્ત તોલસિંગ પરણીત અને બે સંતાનોના પિતા છે તે ઘરેથી રાશન ખરીદવા માટે નીકળ્યો હતો અને તેને ફોન કર્યો ત્યારે અજાણ્યા ઇશમોને તેની પાસે વધુ પૈસા હશે તેમ સમજીને તેને છરી મારી હોય તેવું હાલ તેના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે.

દવા પી લેતા સારવારમાં

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધારાડુંગર વિસ્તારમાં રહેતી રેખાબેન પ્રવીણભાઈ કરશનભાઈ ઝાલા નામની ૨૮ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેણીને મોરબીની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા તપાસ કરીને બનાવની વધુ તપાસ સંદર્ભે સાયલા પોલીસને જાણ કરવામાં આવી હોવાનુ સૂત્રમાંથી જાણવા મળે છે.જ્યારે મોરબીના રહેવાસી નીતાબેન રતિલાલ રજોડીયા નામના ૬૦ વર્ષીય વૃદ્ધા બાઈકમાં બેસીને કામ સબબ બહાર જતા હતા ત્યારે નવા બસ સ્ટેશનની પાસે આવેલ પંચવટી સોસાયટી નજીક તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા ઇજાઓ પહોંચતા નીતાબેનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ. ઝાપડિયા દ્વારા આ અંગે નોંધ કરીને બનાવની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News