મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના ખારીવાડી વિસ્તારમાં ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત


SHARE











હળવદના ખારીવાડી વિસ્તારમાં ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત

હળવદના ખારીવાડી વિસ્તારની અંદર રહેતા યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણમાં મળતી માહિતી પ્રમાણે હળવદના ખારીવાડી વિસ્તારમાં રહેતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રહેવાસી વિજયભાઈ વાઘજીભાઈ તડવી (ઉંમર ૨૨) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી નજીક સન્વીસ્ટ સિરામિક કારખાનામાં રહેતા વિક્રમ સમરિયા રાવત (૧૦) નામના બાળકને કેનાલ પાસે કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લીધો હતો જેથી અકસ્માતના બનાવવામાં બાળકને ઈજા થઈ હોવાથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ ઇટાનો સીરામીક પાસે ટ્રક ઉપરથી નીચે પટકાવવાના કારણે મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છત્રુલાલ દલશેરભાઈ પિંજારી (૫૫) ને ઇજાઓ થઈ હોવાથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને અકસ્માતના બનાવવાની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News