મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE













મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસેથી બાઈક લઈને જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજાઓ થવાથી યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે પ્રિયાગોલ્ડ સિરામિક નજીકથી બાઈક લઈને જઈ રહેલા લાખાભાઈ દેવશીભાઈ ચાવડા (ઉમર ૩૬) રહે. કાંતિનગર વસુંધરા હોટલ પાછળ માળિયા ફાટક નજીક સામાકાંઠે મોરબી-૨ ના બાઇકને અજાણ્યા ટ્રકના ચાલકે હેડફેટે લેતા ઇજાઓ થતા લાખાભાઈ ચાવડાને સામાકાંઠે આવેલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના જે.એમ.જાડેજા દ્વારા આ અંગે નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી રહી છે.જયારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ શ્રીજી સિરામિકની પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થતા ધાંગધ્રા તાલુકાના કોકિયાણી ગામના જયેશ દુદાભાઈ સાપરા નામના ૨૪ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા બનાવ અંગે તપાસ ચાલવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા બાયપાસ રાજકોટ રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાગ્રસ્ત થતા નેહા હિતેશભાઈ રાણેવાડીયા (ઉંમર ૧૦) રહે. માધાપર ચોકડી પાસે રાજકોટને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ આ અંગે નોંધ કરી બનાવની આગળની તપાસ ચલાવી રહ્યા છે.તેમજ મોરબીના શનાળા રોડ ઉપર રહેતા જશુબેન હરીશભાઈ ડાભી નામના ૪૩ વર્ષીય મહિલા શનાળા રોડ ઉપર રામદેવપીરના મંદિર પાસેથી જતા હતા ત્યાં તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઇજા પહોંચતા તેઓને પણ સારવારમાં ખસેડાયા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવામાં આવી રહી છે.

મારામારીના બનાવમાં ઈજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામના બસ સ્ટેશન પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થતા ગીતાબેન રાજુભાઈ ગૌતમ (૩૫) અને રમેશ હમીરભાઇ ખેતરીયા (૩૨) રહે. બંને માલધારી સોસાયટી માર્કેટયાર્ડ પાસે રાજકોટ વાળાઓને ઇજા પહોંચતા બંનેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા નોંધ કરી આ અંગે તપાસ કરાવામાં આવી રહી છે.






Latest News