મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ૧ ડીસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે યોજાનાર જનજાગૃતિ પ્રશ્નોતરી સ્પર્ધામાં જોડાવા અપીલ


SHARE













મોરબીમાં ૧ ડીસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે યોજાનાર જનજાગૃતિ પ્રશ્નોતરી સ્પર્ધામાં જોડાવા અપીલ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર" પ્રેરિત  "આર્યભટ્ટ"લોક વિજ્ઞાન કેન્દ્દ મોરબી દ્વારા આયોજીત વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે જન જાગૃતિથી નવજીવન સારવારથી વધુ સારી છે કાળજીએ પણ જયારે બીમારી અસાધ્ય હોય વિષય પર ઘરે બેઠા આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરાયું છે જેમાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરીત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં તા.૧-૧૨ વિશ્વ એઈડ્સ દિવસને અનુસંધાને "એઈડ્સથી બચવા માટે પ્રચારનો  કરો સંકલ્પ - આ બીમારી સામે લડવાનો છે એક જ વિકલ્પ"  સમાજમાં એઈડ્સ સામે જાગૃતિ લાવવાનો એક પ્રયાસ એટલે કે જન જાગૃતિથી નવજીવન આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન  કરેલ  છે.

જેમાં કેટેગરી મુજબ પ્રશ્નોનો જવાબ વિડીયો બનાવીને છેલ્લી તા.૧-૧૨ રાત્રીના નવ વાગ્યા સુધીમાં એલ એમ.ભટ્ટ (મો.૯૮૨૪૯ ૧૨૨૩૦) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.૯૭૨૭૯ ૮૬૩૮૬) પૈકી એક નંબર ઉપર મોકલવૈનો રહેશે.કેટેગરી-૧ ધો.૧.૨.૩.૪ માટે રોગ પ્રતિકારક શકિત વધારવા શું શું કરવું જોઈએ?, કેટેગરી-૨ ધો.૫.૬.૭.૮ માટે રોગ પ્રતિકારક શકિત જાળવવા માટે શું કરવું જોઈએ ? કેટેગરી-૩ ધો-૯.૧૦.૧૧.૧૨ માટે અસાધ્ય -કષ્ટસાધ્ય રોગો માં દર્દી અને પરિવારની દશા અને વ્યથા જણાવો. કેટેગરી-૪ કોલેજનાં વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા વાલીઓ માટે સારવારથી વધુ સારી છે કાળજી એ પણ ત્યારે કે જ્યારે બીમારી અસાધ્ય હોય સમજાવતા વિડીઓ બવાવવાના રહેશે.






Latest News