મોરબી મહાપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર જાહેરમાં મૃત ગૌ વંશોને ફેંકવા મામલે મેયરને જાહેરમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ તતડવી નાખ્યા: એક કર્મચારીને તાત્કાલિક પાણીચું મોરબીમાં બેંકની લોન ભરપાઈ કરનારા ગ્રાહકના મકાનો દસ્તાવેજ બેંકે ખોઈ નાખ્યો !, ગ્રાહક કોર્ટે આપ્યો મહાવપૂર્ણ ચુકાદો મોરબી શહેરમાં NAKSHA પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ લેન્ડ રેકોર્ડ આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પહેલ મોરબી જીલ્લામાં આગામી શનિવારે લોક અદાલતનું આયોજન મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ મોરબી સિવિલ કોર્ટના ચેક રીટર્ન કેશમાં આરોપીને નિર્દોષ છોડવતા વકીલ નિકુંજભાઈ કોટક મોરબી RTO દ્વારા ટુ-ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે હરાજી કરાશે મોરબી આઈ.સી.ડી.એસ. ઘટક-૨ દ્વારા મહિલાઓમાં કેન્સર જાગૃતિ અર્થે શાશ્વત હોસ્પિટલ ખાતે સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ૧ ડીસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે યોજાનાર જનજાગૃતિ પ્રશ્નોતરી સ્પર્ધામાં જોડાવા અપીલ


SHARE







મોરબીમાં ૧ ડીસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે યોજાનાર જનજાગૃતિ પ્રશ્નોતરી સ્પર્ધામાં જોડાવા અપીલ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર" પ્રેરિત  "આર્યભટ્ટ"લોક વિજ્ઞાન કેન્દ્દ મોરબી દ્વારા આયોજીત વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે જન જાગૃતિથી નવજીવન સારવારથી વધુ સારી છે કાળજીએ પણ જયારે બીમારી અસાધ્ય હોય વિષય પર ઘરે બેઠા આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરાયું છે જેમાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરીત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં તા.૧-૧૨ વિશ્વ એઈડ્સ દિવસને અનુસંધાને "એઈડ્સથી બચવા માટે પ્રચારનો  કરો સંકલ્પ - આ બીમારી સામે લડવાનો છે એક જ વિકલ્પ"  સમાજમાં એઈડ્સ સામે જાગૃતિ લાવવાનો એક પ્રયાસ એટલે કે જન જાગૃતિથી નવજીવન આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન  કરેલ  છે.

જેમાં કેટેગરી મુજબ પ્રશ્નોનો જવાબ વિડીયો બનાવીને છેલ્લી તા.૧-૧૨ રાત્રીના નવ વાગ્યા સુધીમાં એલ એમ.ભટ્ટ (મો.૯૮૨૪૯ ૧૨૨૩૦) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.૯૭૨૭૯ ૮૬૩૮૬) પૈકી એક નંબર ઉપર મોકલવૈનો રહેશે.કેટેગરી-૧ ધો.૧.૨.૩.૪ માટે રોગ પ્રતિકારક શકિત વધારવા શું શું કરવું જોઈએ?, કેટેગરી-૨ ધો.૫.૬.૭.૮ માટે રોગ પ્રતિકારક શકિત જાળવવા માટે શું કરવું જોઈએ ? કેટેગરી-૩ ધો-૯.૧૦.૧૧.૧૨ માટે અસાધ્ય -કષ્ટસાધ્ય રોગો માં દર્દી અને પરિવારની દશા અને વ્યથા જણાવો. કેટેગરી-૪ કોલેજનાં વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા વાલીઓ માટે સારવારથી વધુ સારી છે કાળજી એ પણ ત્યારે કે જ્યારે બીમારી અસાધ્ય હોય સમજાવતા વિડીઓ બવાવવાના રહેશે.






Latest News