હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ૧ ડીસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે યોજાનાર જનજાગૃતિ પ્રશ્નોતરી સ્પર્ધામાં જોડાવા અપીલ


SHARE





મોરબીમાં ૧ ડીસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે યોજાનાર જનજાગૃતિ પ્રશ્નોતરી સ્પર્ધામાં જોડાવા અપીલ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર" પ્રેરિત  "આર્યભટ્ટ"લોક વિજ્ઞાન કેન્દ્દ મોરબી દ્વારા આયોજીત વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે જન જાગૃતિથી નવજીવન સારવારથી વધુ સારી છે કાળજીએ પણ જયારે બીમારી અસાધ્ય હોય વિષય પર ઘરે બેઠા આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરાયું છે જેમાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરીત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં તા.૧-૧૨ વિશ્વ એઈડ્સ દિવસને અનુસંધાને "એઈડ્સથી બચવા માટે પ્રચારનો  કરો સંકલ્પ - આ બીમારી સામે લડવાનો છે એક જ વિકલ્પ"  સમાજમાં એઈડ્સ સામે જાગૃતિ લાવવાનો એક પ્રયાસ એટલે કે જન જાગૃતિથી નવજીવન આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન  કરેલ  છે.

જેમાં કેટેગરી મુજબ પ્રશ્નોનો જવાબ વિડીયો બનાવીને છેલ્લી તા.૧-૧૨ રાત્રીના નવ વાગ્યા સુધીમાં એલ એમ.ભટ્ટ (મો.૯૮૨૪૯ ૧૨૨૩૦) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.૯૭૨૭૯ ૮૬૩૮૬) પૈકી એક નંબર ઉપર મોકલવૈનો રહેશે.કેટેગરી-૧ ધો.૧.૨.૩.૪ માટે રોગ પ્રતિકારક શકિત વધારવા શું શું કરવું જોઈએ?, કેટેગરી-૨ ધો.૫.૬.૭.૮ માટે રોગ પ્રતિકારક શકિત જાળવવા માટે શું કરવું જોઈએ ? કેટેગરી-૩ ધો-૯.૧૦.૧૧.૧૨ માટે અસાધ્ય -કષ્ટસાધ્ય રોગો માં દર્દી અને પરિવારની દશા અને વ્યથા જણાવો. કેટેગરી-૪ કોલેજનાં વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા વાલીઓ માટે સારવારથી વધુ સારી છે કાળજી એ પણ ત્યારે કે જ્યારે બીમારી અસાધ્ય હોય સમજાવતા વિડીઓ બવાવવાના રહેશે.




Latest News