મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા આધેડનું મોત


SHARE













વાંકાનેરના ભલગામ પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા આધેડનું મોત

વાંકાનેર તાલુકાના ભલગામ નજીક રામદેવપીર મંદિર પાસેથી પસાર થતાં આધેડને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા જેથી તેઓને શરીરે અને માથામાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઈને નાશી ગયો હતો જેથી કરીને હાલમાં મૃતક આધેડના દીકરાની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ભલગામ નજીક આવેલ રામદેવપીરના મંદિર પાસેથી મૂળ દરેડ ગામના રહેવાસી સાજણભાઈ માણસુરભાઈ ખરા પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લીધા હતા જેથી કરીને માથામાં અને શરીરને ગંભીર ઈજા થવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી નાસી ગયો હોય હાલમાં મૃતક આધેડના દીકરા નિકુલભાઇ સાજણભાઈ ખરા (ઉંમર ૨૧) રહે. મૂળ દરેડ હાલ ભલગામ વાંકાનેર વાળાની ફરિયાદ લઈને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામકો બંગલો પાસે એસપી રોડ નજીકથી સભારાની વાડીમાં રહેતા ગોરધનભાઈ માધવજીભાઈ પરમાર (૨૮) પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે સ્કૂલ બસ નં. જીજે ૩૬ ટી ૨૩૭૭ ના ચાલકે તેના બાઈકને ઠોકર મારી હતી જેથી કરીને ગોરધનભાઈને હાથે, પગે અને શરીરમાં ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવારમાં લઈને આવ્યા હતા અને અકસ્માત સર્જીને સ્કૂલ બસનો ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને ભોગ બનેલા ગોરધનભાઈ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સ્કૂલ બસના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News